ભારત ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે
બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ
ઇન ઇન્ડિયા (BCCI)ના સીનિયર અધિકારીએ
કહ્યું કે,
ભારત
ઓસ્ટ્રેલિયામાં 2
અઠવાડિયા
માટે કવોરન્ટીનમાં રહેવા તૈયાર છે. જો તેમ કરવાથી આ ટૂર સંભવ થતી હોય તો ટીમને કોઈ
વાંધો નથી.
ભારત
ડિસેમ્બર-જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયામાં 4 ટેસ્ટ અને 3 વનડેની સીરિઝ રમવાનું છે. જો આ સીરિઝ ન રમાય તો
ઓસ્ટ્રેલિયાને 300
મિલિયન
ડોલરનું નુકસાન થશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને ફેડરલ ગવર્મેન્ટ વચ્ચે
પ્રોટોકોલ અંગે વાતચીત ચાલી રહી છે.
BCCIના ટ્રેઝરર અરુણ ધૂમલે
કહ્યું કે,
બીજો
કોઈ વિકલ્પ જ નથી. જો ક્રિકેટને ફરી ટ્રેક પર લાવી હોય તો બધાને આમ કરવું પડશે. 2 અઠવાડિયા વધુ સમય નથી.
આટલો લાંબો સમય લોકડાઉનમાં રહ્યા પછી સ્પોર્ટ્સમેન માટે બીજા દેશમાં જઈને 2 અઠવાડિયા કવોરન્ટીનમાં
રહેવું એક સારી વસ્તુ છે. અમે જોશું કે લોકડાઉન પછી નવા નોર્મસ શુ છે.
ધૂમલે
કહ્યું કે,
લોકડાઉન
પહેલા 4ની જગ્યાએ 5 ટેસ્ટની સીરિઝ રમવા વિશે
ચર્ચા થઈ હતી. હવે જો વિન્ડો અવેલેબલ છે, તો બોર્ડ્સે નક્કી કરવાનું છે કે તેમને 1 ટેસ્ટ વધારે રમાડવી છે
કે પછી 2
વનડે
કે 2 ટી-20? રેવન્યુના પોઇન્ટ ઓફ
વ્યૂથી ટેસ્ટ કરતા વનડે અને ટી-20થી વધુ આવક થશે. અત્યારે નુકસાનની ભરપાઈ વધુ
મહત્ત્વની છે. જોઈએ બંને બોર્ડ્સ સાથે મળીને શુ નક્કી કરે છે.