શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ છે
કર્ણાટકના શિવમોગામાં
ગુરુવારે રાત્રે લગભગ 10 વાગ્યે શક્તિશાળી વિસ્ફોટમાં 8 મજૂરોનાં મોત થયાં હતાં.
રિપોર્ટ અનુસાર,
કેટલાક
લોકો ટ્રકમાં જિલેટિન સ્ટિક લઇ જઇ રહ્યા હતા. શિવમોગા જિલ્લાના અબ્બાલગેરે ગામ
પાસે આ દરમિયાન ટ્રકમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે
શિવમોગાના નજીકના જિલ્લા ચિકમંગલુર સુધી સંભળાયો હતો.
ધડાકાને કારણે આજુબાજુનાં ઘરના કાચ તૂટી ગયા હતા. પહેલાં
લોકોને લાગ્યું કે ભૂકંપ આવ્યો છે, જેથી ગભરાઇને લોકો ઘરની બહાર નીકળી
ગયા હતા. અધિકારી ઘટનાની તપાસ કરી રહ્યા છે. શિવમોગા કર્ણાટકના મુખ્યમંત્રી
બી.એસ.યેદિયુરપ્પાનો ગૃહ જિલ્લો છે.
સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ
શિવમોગાના
ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરાઈ
છે. તેમણે ઘટનાસ્થળ પર વધુ વિસ્ફોટકો હોવાની આશંકા વ્યક્ત કરી છે.
વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી