• Home
  • News
  • ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો
post

ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-14 15:39:41

બોટાદ : ગઢડા ખાતે આવેલા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીની ગાડી પર હુમલો થયો છે. એસ.પી. સ્વામી આચાર્ય પક્ષના છે. મળતી માહિતી પ્રમાણે એસ.પી.સ્વામી ઇનોવા કાર લઈને મંદિરેથી બોટાદ જવા માટે નીકળ્યા હતા ત્યારે હુમલો થયો હતો.

ઇનોવા કારમાં જઈ રહેલા એસ.પી. સ્વામી પર ગઢડા મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર ખાતે બે શખ્સોએ ગાડી પર લોખંડના પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોરો એસ.પી. સ્વામી સવાર હતા તે કારના આગળના અને પાછળના કાચ તોડી નાખ્યા હતા. જે બાદમાં બંને શખ્સોએ બાઇક લઈને પણ સ્વામીની ગાડીનો પીછો કર્યો હતો. બનાવ બાદ એસ.પી.સ્વામી સહિતના સંતો પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસને માહિતી આપી હતી.આ મામલે ગાડી ચાલક દેવેન્દ્ર પટેલે જણાવ્યું કે હતુ કે, "અમે બહાર ગામ જવા માટે મંદિર બહાર નીકળી રહ્યા હતા. મારી સાથે એસ.પી. સ્વામી અને પ્રકાશ ભગત હતા. ગેટની બહાર નીકળતા જ એક વ્યક્તિએ કાચના આગળના ભાગમાં પાઇપનો ઘા કર્યો હતો."

કાર ચાલકે વધુમાં જણાવ્યું કે, "હુમલાખોરે આગળના કાચ પછી કારનો પાછળનો ભાગ તોડી નાખ્યો હતો. જે બાદમાં બાઇક લઈને બંને વ્યક્તિઓ કારનો પીછો કર્યો હતો. બંને લોકો એવી બૂમો પાડતા હતા કે ગાડી ઉભી રાખ અને સ્વામીજીની નીચે ઉતારો. આ મામલે અમે પોલીસ સ્ટેસનમાં ફરિયાદ કરી છે."