BCCIના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીનિવાસને કહ્યું કે- ધોનીની નિવૃત્તિ સાથે એક યુગનો અંત આવ્યો
ભારતીય
ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે કહ્યું કે મહેન્દ્રસિંહ ધોનીના નિવૃત્તિના
સમાચારથી બધાને આશ્ચર્ય થયું છે. તેમણે કહ્યું કે ધોનીની નિવૃત્તિનું મોટું કારણ
કોરોના મહામારીને કારણે બદલાયેલ વાતાવરણ છે. નહીં તો તેઓ T-20 વર્લ્ડ કપ રમવા માગતા હતા.
ધોનીએ
સ્વતંત્રતા દિવસ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. એક કલાક
પછી સુરેશ રૈનાએ પણ નિવૃત્તિ લીધી. ધોની છેલ્લે જુલાઈ 2019માં વન-ડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમ્યા હતા.
હું હજી પણ ધોનીને રમતા જોવા માગું છું
·
ચહલે એક
ન્યૂઝ ચેનલને કહ્યું કે, "ધોનીની નિવૃત્તિના સમાચાર ખૂબ જ આઘાતજનક હતા. હું માનું છું
કે કોરોનાએ પણ તેમના નિર્ણયમાં મોટી ભૂમિકા ભજવી હતી. નહીં તો ધોની T-20 વર્લ્ડ કપ રમવા માંગતા હતા.
·
હું હજી પણ
તેમને રમતા જોવા માંગુ છું, કારણ કે તેમના કારણે જ કુલદીપ યાદવ અને હું સફળ થઈ શક્યા
છીએ."
·
તેણે કહ્યું, "તેમણે વિકેટ પાછળથી અમને ખૂબ મદદ કરી, જેનાથી અમને ખૂબ ફાયદો થયો. જો ધોની મેદાન પર હોય તો અમારું
50% કામ પહેલાથી થઈ ચૂક્યું છે.
·
ધોની પિચનો
મિજાજ ખૂબ સારી રીતે સમજે છે. આ કારણોસર, અમને પહેલા
જ બોલથી ઘણી સહાય મળે છે.
·
અન્યથા, ધોનીની ગેરહાજરીમાં, પિચને સમજવા
માટે અમારે ઓછામાં ઓછી બે ઓવર ફેંકવી પડે છે."
ધોની મહાન કેપ્ટન, વિકેટકીપર અને બેટ્સમેન હતા
·
તે જ સમયે, BCCIના પૂર્વ અધ્યક્ષ એન. શ્રીનિવાસને કહ્યું કે, “ધોનીના નિવૃત્તિ લેવાના નિર્ણય સાથે એક યુગનો અંત આવી ગયો
છે. તેમની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2007માં T-20 અને 2011માં વનડે વર્લ્ડ કપ જીત્યો
હતો. તે સાથે જ ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ પણ તેમના નામે છે.
·
તે મહાન
કેપ્ટન, વિકેટકીપર અને આક્રમક બેટ્સમેન હતા. તેમની પાસે કંઈ
મેળવવાનું બાકી નહોતું. આખી ટીમ ધોનીથી પ્રેરિત હતી. "
ધોનીએ 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી હતી
·
ધોનીએ
અત્યાર સુધી 90 ટેસ્ટ, 350 વનડે અને 98 T-20 રમી છે. આમાં તેમણે અનુક્રમે 4876, 10773 અને 1617 રન બનાવ્યા છે.
·
IPLમાં ધોનીએ અત્યાર સુધીમાં 190 મેચોમાં 4432 રન બનાવ્યા છે. તેમની કેપ્ટનશીપ હેઠળ CSK 2010 અને 2011માં સતત બે વાર IPLનો ખિતાબ જીત્યો હતો.