તેના પર ચીને કહ્યું કે ભારતના ગૃહમંત્રીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે તેની ક્ષેત્રીય સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે.
દિબ્રુગઢ: કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ સોમવારે આસામના ડિબ્રુગઢ પહોંચ્યા હતા. આસામ એરપોર્ટ પર રાજ્યના
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી અમિત શાહ
અરુણાચલ પ્રદેશ જશે, જ્યાં તેઓ રાજ્યના સરહદી ગામ કિબિથુમાં વાઈબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ (VVP)ની શરૂઆત કરશે. તેના પર
ચીને કહ્યું કે ભારતના ગૃહમંત્રીની અરુણાચલ પ્રદેશની મુલાકાતે તેની ક્ષેત્રીય
સંપ્રભુતાનું ઉલ્લંઘન કર્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે 10 એપ્રિલે ટ્વીટ કરીને આ
જાણકારી આપી હતી. તેમણે લખ્યું- આજનો દિવસ મહત્વપૂર્ણ છે. વાઈબ્રન્ટ વિલેજ
પ્રોગ્રામ અરુણાચલ પ્રદેશથી શરૂ થશે. તેનો હેતુ સરહદને અડીને આવેલા ગામડાઓમાં
લોકોને રોજગારી મળે અને તેઓ વિકાસ કરી શકે.
વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ શું છે
VVPએ
કેન્દ્રની એક યોજના છે જે સરહદી ગામડાઓમાં રહેતા લોકોને પ્રાથમિક સુવિધાઓ પૂરી
પાડીને તેમની જીવનશૈલી સુધારવામાં મદદ કરે છે. આ માટે અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના 19 જિલ્લાના 46 બ્લોકમાં 2,967 ગામોની ઓળખ કરવામાં આવી છે. VVPના પ્રથમ તબક્કામાં અરુણાચલ
પ્રદેશના 662માંથી 455 ગામોને પ્રાથમિકતા આપવામાં
આવશે.