• Home
  • News
  • કોંગ્રેસના ધારાસભ્યો ભાજપના મંત્રીઓના ઈશારે ચાલી રહ્યા છે
post

કોંગ્રેસની ગૃહની રણનીતિ ધારાસભ્યો જ સરકારને લીક કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-26 10:32:00

ગાંધીનગર: વિધાનસભાના બજેટ સત્ર પહેલા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે, આપણા ધારાસભ્યો જ ભાજપ સરકારને અને મંત્રીઓને પક્ષની રણનીતિ વિધાનસભા ગૃહમાં કઇ હશે તે પહોંચાડે છે. ધારાસભ્યના આક્ષેપને બેઠકમાં હાજર અન્ય ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે ટેકો આપતા બેઠકમાં સોપો પડી ગયો હતો.

ધારાસભ્યોએ કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષની રણનીતિ શાસક પક્ષ આગળ ખુલ્લી પાડી દે છે. આથી સરકાર અગાઉથી સાવધ થઈ જાય છે. છેવટે આવું થવું ન જોઇએ તે બાબતે પક્ષના ટોચના નેતાઓએ ટકોર કરી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post