• Home
  • News
  • હાર્દિકે કહ્યું ભાજપ સામ-દામ-દંડથી રાજકારણ કરે છે, ભાજપ પાસે ધારાસભ્યો ખરીદવાનો સમય છે પણ ખેડૂતોનો પાક ખરીદવાનો સમય નથી: વિક્રમ માડમ
post

ધારાસભ્યો ખરીદવાના બદલે એટલા પૈસા વેન્ટિલેટરમાં નાખ્યા હોત તો સારું હતું: હાર્દિક પટેલ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 12:20:11

રાજકોટ: રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઇ ચૂકી છે. ત્યારે કોંગ્રેસને સૌરાષ્ટ્રના ધારાસભ્યો તૂટવાનો ડર લાગતા સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને એક સમયે નારાજ થઈને રાજીનામુ આપનારા ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં બોલાવવામાં આવ્યાં છે.  છેલ્લા 2 દિવસમાં કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે વધુ કોંગ્રેસના ધારાસભ્ય ન તૂટે તે માટે નવી રણનીતિ ઘડાઈ રહી છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોની જવાબદારી અર્જૂન મોઢવાડિયા અને પરેશ ધાનાણીને સોંપવામાં આવી છે. હાલ ધારાસભ્ય લલિત વસોયા અને લલિત કગથરા, હાર્દિક પટેલ સહિતના ધારાસભ્યો નિલસીટી ક્લબ ખાતે પહોંચી ગયા છે. જ્યારે સાંજ સુધીમાં બીજા ધારાસભ્યો પહોંચી જશે. જો કોઈ ધારાસભ્યને બહાર જવુ હશે તો પાર્ટીની મંજૂરી લેવી પડશે.

ભાજપ સામ-દામ-દંડની નીતિ અપનાવે છે-હાર્દિક પટેલ
નીલીસીટી ક્લબ પહોંચેલા હાર્દિક પટેલે નિવેદન આપતા કહ્યું કે ભાજપ સામ-દામ-દંડની નીતિ અપનાવી રહી છે. આવો લોકોને ફરી મત ન આપવાની જવાબદારી જનતાની છે. કોંગ્રેસ પણ ચિંતન કરી રહ્યું છે. અમુક ધારાસભ્ય અને પોતાની કેપેસિટી ક્ષમતાથી વધુ પૈસા ઓફર થતાં ધારાસભ્યો આવું કરી રહ્યાં છે. જે ગદાર છે. આવા લોકોના દીકરાઓને પણ ખબર પડવી જોઈએ કે તેનો બાપ વેચાયો છે. 

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને લોકો નહિં છોડે- વિક્રમ માડમ
આ સાથે જ વિક્રમ માડમે કહ્યું કે ભાજપ પાસે ધારાસભ્ય ખરીદવાનો સમય છે. પરંતુ ખેડૂતોનાં ઘઉં, ચણા કે અન્ય પાક ખરીદવાનો સમય નથી.ધારાસભ્યોને ખરીદવાના બદલે એટલા પૈસા વેન્ટિલેટરમાં નાખ્યા હોત તો સારૂ હતું. જે ધારાસભ્યો વેચાય જાય છે તેને ચંપલથી મારવા જોઈએ. આ સાથે જ કહ્યું કે અમે કોઈ ધારાસભ્ય ના માથે ગન લઈને બેઠા ન હોઈ કે તમે ક્યાય ન જાવ. કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારને લોકો નહિં છોડે.

હવે કોઈ કોંગ્રેસમાં નારાજ નથી: વસોયા
ધારાસભ્ય લલિત વસોયાએ નિવેદન આપતા કહ્યું કે અમે ભાજપમાં જવાના નથી અને હવે કોંગ્રેસમાં કોઈ નેતા નારાજ પણ નથી. જ્યારે લલિત કગથરાએ કહ્યું કે ભાજપ નામનો વાયરસ છે. આ વાયરસ અમારા ધારાસભ્યને બધુ આપીને લઈ જાય છે. 

સ્થાનિક કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી
સૌરાષ્ટ્રના ધારાસભ્યોને ઈન્દ્રનીલ રાજ્યગુરૂના રિસોર્ટમાં કોંગ્રેસના ધારાસભ્યોને બોલાવવામાં આવતા સ્થાનિક કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી જોવા મળી રહી છે. જેથી અનેક સવાલો થઈ રહ્યાં છે કે શું સૌરાષ્ટ્રમાં એક પણ ધારાસભ્ય એવા સક્ષમ નથી કે જે ધારાસભ્યોને સાચવી શકે? વિરોધપક્ષના નેતા પણ સૌરાષ્ટ્ર ના છે, અનેક કદાવર નેતાઓ કોંગ્રેસમાં છે. તો શું પ્રદેશ કોંગ્રેસના નેતાઓને આ નેતાઓ પર ભરોસો નથી? એક સમયના નારાજ ઇન્દ્રનીલ સિવાય સૌરાષ્ટ્રમાં બીજો કોઈ વિકલ્પ નથી? જેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post