જોકે, દોઢ કલાકની આ બેઠક બાદ સુખદ અંત આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ 36 કલાકમાં વિવાદનો અંત આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સાળંગપુર મંદિરમાં
હનુમાનજીને સ્વામિનારાયણ સંતોના દાસ તરીકે રજૂ કરાયેલાં ભીંતચિત્રોને લઈ છેલ્લા
થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા
મળી રહ્યો છે. ત્યારે હવે ભીંતચિત્રો વિવાદ મામલે હવે સરકાર દ્વારા હસ્તક્ષેપ
કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને સ્વામિનારાયણ સંતો
સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રી સાથે વિવાદ
મુદ્દે મંત્રણા કરી હતી. આ બેઠક પૂર્ણ થતા સંતો રવાના થયા હતા. ત્યારે આ બેઠકમાં
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. જોકે, દોઢ કલાકની આ બેઠક બાદ
સુખદ અંત આવવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠક બાદ 36 કલાકમાં વિવાદનો અંત
આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સનાતન ધર્મના સાધુ-સંતોના કેટલાંક નિર્ણય લીધા
ઉલ્લેખની છે કે,
સાળંગપુર મંદિર ભીંતચિત્રોના વિવાદને લઇ ગઈકાલે
અમદાવાદના સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમમાં સનાતન ધર્મના સંતોની બેઠક
મળી હતી. આ બેઠકમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. હનુમાનજીના
અપમાન મુદ્દે સાધુ-સંતોમાં આક્રોશ ફેલાયો છે. સાધુ-સંતો અને હિન્દુ સંગઠન ભેગા થઈ
તમામ વ્યૂહરચના બનાવી છે. જેમાં સનાતન ધર્મના સાધુ-સંતોએ કેટલાંક નિર્ણય લીધા છે.
જેમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ
સંપ્રદાયનો સનાતન સંતોએ બહિષ્કાર કર્યો હતો. સનાતન ધર્મમાંથી સંપ્રદાયનો બહિષ્કાર
કરવામાં આવ્યો હતો.
નૌતમ સ્વામીને તમામ હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા
ડો. જ્યોતિરનાથ મહારાજે જણાવ્યું હતું કે, દરેક સંતો-સાધુઓ મળ્યા અને એક
થયા. લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક મળી હતી.
જેમાં અખિલ ભારતીય સંત સમિતિના તમામ હોદ્દા પરથી નૌતમ સ્વામીને દૂર કરવામાં આવ્યા
છે. સાળંગપુરમાં વિરોધ થયો, જેને અમે બિરદાવીએ છીએ. સંતો દરેક રીતે લડવા માટે તૈયાર હોવાનું જણાવ્યું હતું.
13 જેટલા
વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા
સાણંદના લંબેનારાયણ આશ્રમ ખાતે ડો. જ્યોતિરનાથ
બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સંત સંમેલનમાં 13
જેટલા વિવિધ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. સનાતન
ધર્મમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે રીતે અવારનવાર પુસ્તકોથી લઈ વિવિધ જગ્યાએ
હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરવામાં આવે છે,
ત્યારે આ ઠરાવોને પસાર કરી સ્વામિનારાયણ સંપ્રદાયનો
વિરોધ કરવામાં આવ્યો હતો.
જાણો કયા ઠરાવો પસાર
કરવામાં આવ્યા
·
ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા શાંતિ દોહળવાનો
પ્રયાસ કરવામાં આવ્યો છે. હનુમાન દાદા અને સનાતન ધર્મના દેવી-દેવતાનો અપમાન કરી
ભક્તોની લાગણી દુભાવવામાં આવી છે, જેની સરકારે નોંધ લઇ અને સ્વામિનારાયણ સંપ્રદાયને દિશા સૂચન
આપવામાં આવે.
·
ભારત સરકાર દ્વારા સનાતન ધર્મના પુસ્તકોમાં ફેરફાર કરનારા
સામે કડક કાર્યવાહી થાય તેવો કાયદો સંસદમાં પસાર કરવામાં આવે.
·
સનાતન ધર્મના કોઈપણ સાધુ સંતો આજથી સ્વામિનારાયણ મંદિરનો
બહિષ્કાર કરી, સંતોને આવકારીશું નહીં અને તેમના આમંત્રણને સ્વીકારશું નહીં કે આપીશું પણ
નહીં.
·
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તો ગજાનંદ સ્વામીને
પોતાના ઈષ્ટ દેવ માનતા હોય છે. સ્વામિનારાયણ મંદિરોમાં કોઈપણ સનાતન ધર્મના
દેવી-દેવતાઓનું સ્થાપન કરવું નહીં.
·
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો-ભક્તોએ કોઈપણ સનાતન ધર્મના
દેવી-દેવતાઓના નામ લેવા નહીં.
·
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સનાતન ધર્મના શાસ્ત્રો જેવા
કે ભગવતગીતાનું પઠન, રામચરિત માનસ અને યજ્ઞ કર્મકાંડ ન કરવું.
·
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં જ્યાં પણ સનાતન ધર્મના
હિન્દુ દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયત્ન થાય તે ભાગને કાયમી દૂર કરવામાં આવે.
·
સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યાં પણ સનાતન ધર્મના
દેવી-દેવતાઓ સહજાનંદ સ્વામીને સર્વોપરી હતા, તેથી ભીંતચિત્રો અને
ઔદિચ્ય ભંગને તાત્કાલિક હમેશાં માટે દૂર કરવા.
·
સનાતન ધર્મની કોઈપણ સંસ્થામાં સ્વામિનારાયણના સંતો હોદ્દા
પર હોય તો તેઓના તાત્કાલિક રાજીનામાં લેવા.
·
સનાતન ધર્મની કોઈપણ પરંપરા માતાજી કે સાધ્વી બહેનોએ સ્ટેજ જ
પરથી નીચે ઉતારવાનું કહી અપમાન ન કરવું.
·
સનાતન ધર્મના સંતો ખોટા છે અને સ્વામિનારાયણના સંતો સાચા છે, એવું સનાતન ધર્મની લાઈન
ભૂસી અને પોતાની લીટી મોટી કરવાનો પ્રયાસ કરવામાં આવે નહીં.
·
સમગ્ર ભારતમાં સંત સમાજ દ્વારા અને સનાતન ધર્મના નિવૃત્ત
નાગરિકો દ્વારા ઉચ્ચ ન્યાય આપવો
·
સનાતન ધર્મની જે જગ્યા પર સ્વામિનારાયણના સંતોએ કબજો કરેલો
હોય તે જગ્યા ખાલી કરી સરકારને પરત કરવી