લોકડાઉનનું પાલન નહીં થાય તો કરફ્યુ લગાવવામાં આવશેઃ રાજ્ય પોલીસ વડા
ગાંધીનગર: રાજ્યમાં લોકડાઉન અને
કોરોનાગ્રસ્ત ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પ્રકરણ મામલે આજે રાજ્ય પોલીસવડાએ શિવાનંદ
ઝાએ જણાવ્યું કે,
ઈમરાન
ખેડવાલાની બેઠક રાજકીય બેઠક હતી. તેમની સામે ગુનો દાખલ કરવો કે નહીં તેની ચકાસણી
કરવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો તેની સામે ગુનો દાખલ કરાશે.
1102 સુરા જમાતીઓમાંથી 1092ની ઓળખ થઈ
રાજ્ય
પોલીસવડાએ નાગરિકો અને પોલીસને ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે, પોલીસ લોકડાઉનનું કડક
પાલન કરાવે,
અને
જનતા લોકડાઉન નું કડક પાલન કરે, લોકડાઉનનું પાલન નહીં થાય તો કરફ્યુ લગાવવામાં આવશે. 1102 સુરા જમાતીઓમાંથી 1092ની ઓળખ થઈ ગઈ છે.
સુરતમાં પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર સમજાવટથી કામ કરે છે. જે વિસ્તારમાં
કરફ્યુ લગાવામાં આવ્યો છે તે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી લગાવ્યો છે.
5293 આરોપીની અટકાયત અને
કરફ્યુ ભંગના 17 ગુના દાખલ
જો
કોઈ કરફ્યુનો ભંગ કરશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આજે કરફ્યુના ભંગ બદલ 17 ગુના દાખલ કરવામાં આવ્યા
છે. જ્યારે જાહેરનામા ભંગના 2527, ક્વોરન્ટીન ભંગના (IPC 269, 270, 271) 775 અને 452 અન્ય ગુનાઓ નોંધાયા છે.
તેમજ 5293
આરોપીની
અટકાયત કરી છે જ્યારે 2261
વાહનો
જપ્ત કર્યાં છે. તેમજ ડ્રોનની મદદથી 295 ગુના અને CCTVની મદદથી 69 ગુના દાખલ કર્યાં છે.
જ્યારે અફવા ફેલાવવા અંગે 11
કેસ
કરવામાં આવ્યા છે.