• Home
  • News
  • આજે પુષ્ય નક્ષત્ર સાથે તિથિ, વાર અને ગ્રહોનો વિશેષ સંયોગ
post

આ વર્ષે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ મંગળવાર 22 ઓક્ટોબરે બની રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-22 11:58:15

 આ વર્ષે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ મંગળવાર 22 ઓક્ટોબરે બની રહ્યો છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને દેવતા બૃહસ્પતિ છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી, લેણ-દેણ, રોકાણ અને અન્ય મહત્ત્વપૂર્ણ કામ કરવા શુભ મનાય છે. શનિના પ્રભાવથી આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ટકે છે. ત્યાં જ, બૃહસ્પતિના પ્રભાવથી આ દિવસે કરેલું આર્થિક કાર્ય સમૃદ્ધિ આપનાર અને કલ્યાણકારી હોય છે. મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ બધા જ સારા કામની વૃદ્ધિ કરનાર હોય છે. જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ વર્ષે પુષ્ય નક્ષત્ર સાથે ત્રણ ગ્રહ વિશેષ સ્થિતિમાં છે. જેના કારણે ચાર મોટાં યોગ બની રહ્યા છે. તેમાં કરેલી ખરીદી ખૂબ જ શુભ રહેશે.

પંડિત ભટ્ટ પ્રમાણે, 22 ઓક્ટોબર એટલે આજે પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય થવાથી આ દિવસે ખરીદી અને અન્ય શુભ કાર્યોનું મહત્ત્વ વધારે રહેશે. આજે સૂર્યોદયથી સાંજે લગભગ 5 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રના સંયોગમાં ખરીદી કરી શકાશે. ત્યાર બાદ સર્વાર્થસિદ્ધિ યોગ બનવાથી રાતે પણ ખરીદીનું મુહૂર્ત બની રહ્યું છે.

મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. તેની સાથે જ સૂર્ય-ચંદ્ર સાધ્ય યોગ પણ બનાવી રહ્યા છે. આ દિવસે સાંજે સર્વાર્થસિદ્ધિ યોગ બનશે, જે બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. ચંદ્ર બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી ગજકેસરી રાજયોગ પણ બની રહ્યો છે. આ પ્રકારે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે દિવસભરમાં ચાર શુભ યોગ બનશે.

પુષ્ય નક્ષત્રમાં ખરીદીના મુહૂર્તઃ-

સવારે 9:25 થી 10:40 સુધી
બપોરે 1:35 થી સાંજે 07:20 સુધી

ગુરૂ પ્રધાન મીન લગ્ન સાંજે 4:10 થી 5 સુધી રહેશે. ખરીદી માટે સ્થિર વૃષભ લગ્ન સાંજે 7:10 થી રાતે 8:40 સુધી રહેશે. શુભ લગ્નમાં ખરીદેલી વસ્તુ સ્થિર અને લાંબા સમય સુધી ફાયદો આપનારી હોય છે.