• Home
  • News
  • દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોનાં મોત, ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર
post

15 દિવસમાં ભૂગર્ભ ગટર અને ખાળકૂવાની સફાઈ દરમિયાન લોકોનાં મોતની ત્રીજી ઘટના

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:01:50

ભરૂચ: ભરૂચના દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે ઊતરેલા ત્રણ કામદારોનાં ગૂંગળાઈ જવાથી મોત નીપજતા ચકચાર મચી છે. ભૂગર્ભ ગટરની સફાઈ માટે એકબીજાના હાથ પકડીને ગટરમાં ઊતર્યા બાદ ગૂંગળાઈ જવાથી ત્રણેયનાં મોત નીપજ્યાં હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય કામદારોને બચાવવા માટે અન્ય બે કામદારોએ પ્રયાસ કર્યા હતા પરંતુ, તેઓ તેમાં સફળ થયા ન હતા.

ત્રણ કામદારોને બચાવવા બે કામદારો ઉતર્યા પણ બચાવી ન શક્યા
દહેજમાં ભૂગર્ભ ગટરની સફાઈ માટે આજે ગલસીંગભાઈ મુનિયા, પરેશ કટારા અને અનીફ પરમાર નામના ત્રણ કામદારો ઉતર્યા હતા. પરંતુ, અંદર ગેસના કારણએ ગુંગળામણ થતા બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી બહાર રહેલા ભાવેશ કટારા અને જીગ્નેશ પરમાર નામના બે કામદારો પણ તેઓને બચાવવા માટે અંદર ઉતર્યા હતા. પરંતુ, તેઓ અંદર ઉતરી ન શક્તા પરત બહાર આવી ગયા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ટીમે આવી અંદર ફસાયેલા ત્રણ કામદારોને બહાર કાઢ્યા હતા. જેઓને 108 મારફત હોસ્પિટલ લઈ જવાતા જ્યાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કામદારોના મોતના પગલે ઘટનાસ્થળે હોબાળો મચ્યો હતો. હાલ ફાયર બ્રિગેડ અને પોલીસના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક કામદારોના નામ

1.    ગલસીંગભાઈ વરસીંગભાઈ મુનિયા (ઉ.વ.30)

2.    પરેશ ખુમસિંગ કટારા (ઉ.વ.30)

3.    અનીફ જાલુભાઈ પરમાર (ઉ.વ.24)

રાજકોટમાં 12 દિવસ પહેલાં દહેજ જેવી જ ઘટના બની હતી
રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે 12 દિવસ પહેલાં ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. જેમાં પ્રથમ શ્રમિક મેહુલ ભૂગર્ભ ગટરમાં ઊતર્યો હતો પરંતુ ગૂંગળામણને કારણે બેભાન થઈ તે ગટરમાં જ પડી ગયો હતો. બાદમાં કોન્ટ્રાક્ટર અફઝલભાઈ તેને બચાવવા ભૂગર્ભ ગટરમાં ઊતર્યા હતા. થોડીવાર બાદ બન્નેના ભૂગર્ભ ગટરમાં જ મોત થતા અન્ય શ્રમિકોમાં દોડધામ મચી હતી.

 

ચાર દિવસ પહેલાં વલસાડમાં પણ બે લોકોનાં મોત થયાં હતાં
ચાર દિવસ પહેલાં વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચાલીના ખાળકૂવાની સફાઈ માટે ગયેલા ચાલીના માલિક અને એક ભાડુઆતનું ખાળકૂવામાં પડી જતાં મોત નીપજ્યાં હતાં. ઉમરગામ શહેરમાં ગંગાનગર મંદિર ફળિયામાં આવેલી એક ચાલીનો ખારકૂવો ભરાઈ જતાં તેનું પાણી આજુબાજુમાં નીકળવા લાગ્યું હતું. જેની ફરિયાદ ચાલીના માલિકને કરતા ચાલીના માલિકે તાત્કાલિક ખારકૂવો ચેક કરવા જતાં અંદર પટકાયા હતા. તેને બચાવવા જતા 2 ભાડુઆત ખારકૂવામાં પડ્યા હતા. તાત્કાલિક બહાર ઊભેલા ભાડુઅતોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને ખારકૂવામાં પડેલા ત્રણેય ઇસમોને બહાર કાઢી નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે.ચાલી માલિક અને એક ભાડુઆતને ખારકૂવામાં થયેલી ગેસની અસરને લઈને મોત થયું હોવાનું જણાવ્યું હતું.

adv

Related News

post
post
post
post
post
post
post