• Home
  • News
  • કેમ્પ હનુમાન મંદિર ૩૦ જૂન સુધી ન ખોલવા નિર્ણય
post

અમારું મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં હોઇ અમે સૈનિકોની સલામતી ખાસ જોઈ રહ્યા છીએ

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-16 08:48:21

અમદાવાદ: અમદાવાદનાં પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિરને ૩૦ જૂન સુધી ન ખોલવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળે લીધો છે. વડાપ્રધાન વધુ કેસ ધરાવતા રાજ્યોના મુખ્ય મંત્રી સાથે 17 જૂને ચર્ચા કરવાના હોઈ નવી ગાઈડલાઇન આવશે તો તે પ્રમાણે નિર્ણય લેવાશે.  

મંદિરના પ્રમુખ ટ્રસ્ટી પાર્થિવ અધ્યારૂએ જણાવ્યું હતું કે,  અમદાવાદમાં વધતી જતી કોરોના ની પરિસ્થિતિને જોતા, કારીગરોની અછત અને વરસાદને લીધે અમે મંદિર ખોલવા માટે નિયમો મુજબ પૂરતી તૈયારી કરી શક્યા નથી. આ સ્થિતિમાં અમે ૩૦ જૂન સુધી મંદિર ન ખોલવાનો નિર્ણય કર્યો. તે પછી પણ મંદિર ખોલવું કે નહિ તે ભવિષ્યની સ્થિતિને આધારે નક્કી કરાશે. અમારું મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં હોઇ અમે સૈનિકોની સલામતી ખાસ જોઈ રહ્યા છીએ. 

 

adv

Related News

post
post
post
post
post
post
post