ઉત્તર ભારતમાં પ્રત્યેક વર્ષ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગાઢ ધુમ્મસની સમસ્યા રહે છે
દિલ્હીના પાલમમાં સોમવારે ઝીરો-મીટર વિઝિબિલિટી નોંધવામાં
આવી, એટલે
કે ધુમ્મસ એટલું બધું હતું કે નજીક ઊભી રહેલી વ્યક્તિનો ચહેરો પણ જોઈ શકાય એમ ન
હતો. આ ઉપરાંત સફદરજંગમાં 200 મીટરની
વિઝિબિલિટી નોંધાઈ, એટલે
કે 200 મીટર
સુધી જ સ્પષ્ટ જોઈ શકાતું હતું. સામાન્ય રીતે 10 કિમીની વિઝિબિલિટી સારી માનવામાં
આવે છે. પ્રદૂષણ અને ઠંડીની સીઝનને લીધે વિઝિબિલિટી ઓછી હોય છે.
પણ આ વિઝિબિલિટી શું હોય છે? એને કેવી રીતે માપવામાં આવે છે? એ કેટલી જોખમી હોય છે? ચાલો, આ અંગે વધુ જાણકારી મેળવીએ....
સૌથી પહેલા વાત વિઝિબિલિટી શું હોય
છે?
વિઝિબિલિટીને
સરળ શબ્દોમાં કહીએ તો તમે કેટલા દૂર અંતર સુધી જોઈ શકો છો. જોકે એની વૈજ્ઞાનિક
વ્યાખ્યા પણ છે, જે
હવામાન વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે વિઝિબિલિટી એને
કહેવામાં આવે છે કે દિવસના સમયમાં કોઈ વ્યક્તિ ખુલ્લી આંખોથી કેટલા દૂરના અંતર
સુધી ડાર્ક ઓબ્જેક્ટને જોઈ શકે છે. એવી જ રીતે રાત્રિના સમયમાં કોઈ વ્યક્તિ ખુલ્લી
આંખોથી કેટલા દૂરના અંતર સુધી લાઈટ ઓબ્જેક્ટને જોઈ શકે છે.
વિઝિબિલિટી માપવાની એક ખાસ પદ્ધતિ
છે
નિષ્ણાતોના
મતે વિઝિબિલિટી કેટલી છે, એને
માપવા માટે એક ખાસ પ્રકારનું ઈન્સ્ટ્રુમેન્ટ છે. હવામાન વિભાગ દૃષ્ટિ નામના
ડિવાઈસનો ઉપયોગ કરે છે. એને એરપોર્ટ પર લગાવવામાં આવે છે. એના મારફત હોરિઝેન્ટલ
વિઝિબિલિટી માપવામાં આવે છે, એટલે કે સામેની તરફથી માલૂમ થાય છે કે કેટલા અંતર સુધી જોઈ
શકાય છે.
હવે આ વિઝિબિલિટી ડિરેક્શનની દૃષ્ટિએ પણ અલગ-અલગ હોઈ શકે છે, એટલે કે એવું બની શકે છે કે તમે
પૂર્વ દિશા બાજુ લાંબા અંતર સુધી જોઈ શકો છો, પણ પશ્ચિમ તરફ વિઝિબિલિટી વધારે
અંતર સુધી ન હોય.
હવે કેટલી ખતરનાક છે લો વિઝિબિલિટી?
ઉત્તર
પ્રદેશના સંભલમાં ગાઢ ધુમ્મસને લીધે ડિસેમ્બરમાં એક રોડવેઝ બસ અને ગેસ ટેન્કર
વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 12 લોકોનાં મૃત્યુ થયાં હતાં ., પહેલી જાન્યુઆરીના રોજ પશ્ચિમી
ઉત્તર પ્રદેશના બાગપતમાં ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે પર 20થી વધારે ગાડીઓ અથડાઈ હતી. રાહતની
વાત હતી તેમા કોઈનો જીવ ગયો નથી.
આ તમામ એવા અકસ્માતના ઉદાહરણ છે કે જે ગાઢ ધુમ્મસ અથવા લો
વિઝિબિલિટીને લીધે સર્જાયા હતા. આપણા દેશમાં પ્રત્યેક વર્ષ આ પ્રકારના હજારોની
સંખ્યામાં અકસ્માતો સર્જાય છે, જેમાં હજારો લોકો જીવ ગુમાવે છે. દુખદ વાત એ છે કે આ
પ્રકારના આંકડા સતત વધી રહ્યા છે.
માર્ગ બાબતોના મંત્રાલયના મતે વર્ષ 2019માં લો વિઝિબિલિટીને લીધે દેશમાં 33 હજાર 602 માર્ગ અકસ્માત સર્જાયા હતા. જેમાં 13 હજાર 405 લોકોના જીવ ગયા હતા. જ્યારે વર્ષ 2018માં 28 હજાર 26 અકસ્માતમાં 11 હજાર 841 લોકોએ જીવ ગુમાવ્યા હતા. એટલે કે
એક વર્ષમાં માર્ગ દુર્ઘટનામાં અનુક્રમે 20 ટકા અને 14 ટકાનો વધારો થયો છે.
સૌથી વધારે મૃત્યુ UPમાં, બિહાર બીજા સ્થાન પર
ઉત્તર
ભારતમાં પ્રત્યેક વર્ષ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગાઢ ધુમ્મસની સમસ્યા રહે
છે. તેને લીધે પ્રત્યેક વર્ષ આ કારણથી થતા માર્ગ અકસ્માત અને મૃત્યુ પણ આ
વિસ્તારમાં મોટી સમસ્યા બની ગઈ છે.
વર્ષ 2019માં સૌથી વધારે 8 હજાર 31 માર્ગ અકસ્માત ઉત્તર પ્રદેશમાં
સર્જાયા હતા, જેમાં
4 હજાર 177 લોકોએ જીવ ગુમાવ્યા હતા. બીજા નંબર
પર બિહાર હતું. જ્યાં 2 હજાર 781 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
પ્રત્યેક વર્ષ અનેક ટ્રેનોને વિલંબ
થાય છે
આપણા
દેશમાં ટ્રેનો મોડી પડવી તે નવી વાત નથી. પણ વિલંબ થવા પાછળનું એક કારણ ગાઢ ધુમ્મસ
પણ છે. 20 નવેમ્બર
2019ના
રોજ લોકસભામાં ધુમ્મસને લીધે મોડી પડતી ટ્રેનોની સંખ્યા અંગે એક પ્રશ્ન પૂછવામાં
આવ્યો હતો. જેના જવાબમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે કહ્યુ કહ્યું કે પ્રત્યેક વર્ષ
દેશના ઉત્તરી વિસ્તારોમાં ઠંડીના મહિનામાં ધુમ્મસને લધી મોટા સંખ્યામાં ગાડીઓને
અસર થાય છે. જોકે, હવે
ધુમ્મસને લીધે ટ્રેનોને વિલંબ થવાનું પ્રમાણ ઘણું ઘટી ગયું છે.
વર્ષ 2018-19માં 5 ટકાથી વધારે ટ્રેનો ધુમ્મસને લીધે મોડી પડતી હતી. જ્યારે
વર્ષ 2017-18માં 15 ટકાથી વધારે ટ્રેનો મોડી પડતી હતી.
ધુમ્મસની ટ્રેનો પર અસર ન થાય તે માટે લોકો પાયલટોને ફોગ પાસ ડિવાઈસ આપવામાં આવ્યુ
છે.
આ ડિવાઈસ GPS પર આધારિત એક હેન્ડ હેલ્ડ પોર્ટેબલ ડિવાઈસ છે. જ્યારે કોઈ
લેન્ડમાર્ક આવે છે તો આ ડિવાઈસ અલાર્મ મારફતે ક્રુની મદદ કરે છે. નવેમ્બર,2019 સુધી ટ્રેનો પર 12 હજાર 205 ફોગ પાસ ડિવાઈસ ઉપલબ્ધ કરાવવામાં
આવ્યા છે.