ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવનો સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે
અમદાવાદ: ‘દો ગુજરાતી ઠગ હૈ’ કહીને સમગ્ર
ગુજરાતીઓનું અપમાન કરનારા બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે સામાજિક
કાર્યકરે બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં કરી છે. જેમાં કોર્ટે ફરિયાદ દાખલ
કરીને ફરિયાદીની ખરાઈ કરવા માટે આજે સુનાવણી હાથ ધરી હતી. ત્યારે કોર્ટ દ્વારા
મેટ્રો કોર્ટમાં ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ફરિયાદીએ
કોર્ટમાં સીડી અને પેન ડ્રાઇવના પુરાવા જરૂરી સર્ટિફિકેટ સાથે આપ્યા હતા. તો આ
મામલે હવે 8 મેના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે. રાહુલ ગાંધી પછી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં
વધારો થયો છે.
નરોડામાં રહેતા હરેશભાઈ
મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી
અમદાવાદના નરોડામાં રહેતા હરેશભાઇ મહેતાએ બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ
વિરુદ્ધ ગુજરાતીઓને 'ઠગ' કહેવા બદલ અમદાવાદ મેટ્રો કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની
ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ થઈ છે. ફરિયાદી ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્શન એન્ડ ક્રાઈમ
પ્રિવેન્શન કાઉન્સિલ સંસ્થાના ઉપપ્રમુખ છે.
ફરિયાદીએ કોર્ટમાં
પૂરાવાઓ જમા કરાવ્યા
આજે મેટ્રો કોર્ટમાં તે મુદ્દે ફરિયાદીનું નિવેદન લેવામા આવ્યું હતું.
ફરિયાદીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેજસ્વી યાદવના
નિવેદનથી એક ગુજરાતી તરીકે તેમને દુઃખ થયું છે. આ ગુજરાતીઓની બદનક્ષી છે. ફરિયાદીએ
કોર્ટમાં તેજસ્વી યાદવના વીડિયોની સીડી અને પેન ડ્રાઈવના પૂરાવા, જરૂરી સર્ટિફિકેટ સાથે
જમા કરાવ્યા હતા. આ કેસમાં 8 મેના રોજ વધારે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં કોર્ટ
પોતાની સત્તાનો ઉપયોગ કરીને નિયમ 202 અંતર્ગત ઇન્કવાયરી કરી
શકે છે. જ્યારે નિયમ 204 અંતર્ગત સમન્સ ઇસ્યુ થાય તો નક્કી તારીખે તેજસ્વી યાદવે અમદાવાદની મેટ્રો
કોર્ટમાં ઉપસ્થિત રહેવું પડી શકે છે.
હાઇકોર્ટે આને હળવાશથી
લેવું ન જોઈએઃ ફરિયાદીના વકીલ
આજે હરેશભાઈનું વેરિફિકેશન લેવામાં આવ્યું હતું. ત્યારબાદ દલીલો કરવામાં આવી
હતી. જેમાં 8 મેના રોજ કેસ ઓર્ડર પર રાખેલો છે. ઓર્ડરની અંદર ગમે તેવી માગણીઓ કરી છે જેમાં
એડમીશનના આધારે, ગમે તેવા પૂરાવાઓને આધારે કોર્ટ પાસે બે જ વિકલ્પ છે. એક 202ની ઇન્કવાયરી અથવા 204 હેઠળ પ્રોસેસ.
હોઇકોર્ટને સુપ્રીમ કોર્ટના નિર્દેશ ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે, આવી અભદ્ર ભાષાનો ઉપયોગ
કર્યો હોય ત્યારે હાઇકોર્ટે તેને હળવાશથી લેવું ન જોઈએ. બંધારણની જોગવાઈ મુજબ કોઈ
પણ વ્યક્તિ સમાન હક ધરાવે છે.
એન્ટી-કરપ્શનના
ઉપપ્રમુખે તેજસ્વી સામે ફરિયાદ નોંધાવી
તેજસ્વી યાદવ પહેલાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને સુરત કોર્ટે બદનીક્ષીના
કેસમાં 2 વર્ષની સજા ફટકારી છે, જેની સામે રાહુલ ગાંધીએ ગુજરાત હાઇકોર્ટમાં હુકમ રદ કરવા માટે પિટિશન કરી છે.
સામાજિક કાર્યકર અને ઓલ ઇન્ડિયા એન્ટી-કરપ્શન એન્ડ ક્રાઇમ પ્રિવેન્ટિવ કાઉન્સિલમાં
ઉપપ્રમુખ તરીકે માનદ્ સેવા આપતા હરેશ મહેતાએ બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ
સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 499 અને 500 (બદનક્ષી)ની ફરિયાદ કરી છે.
તેજસ્વી યાદવે શું બોલ્યા,
જેને લઈ બદનક્ષીનો કેસ નોંધાયો
ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં
એવી રજૂઆત કરાઇ છે કે બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ
છે. તેમણે થોડા સમય પહેલાં મીડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જોભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે
તો સીર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો સકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લેકે ભાગ જાયેંગે,
તો કૌન જિમ્મેવાર હોગા’
કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે તેજસ્વી યાદવનો
સભાન અવસ્થામાં ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ છે. તેમણે 22 માર્ચ 2023ના રોજ આ નિવેદન આપ્યું હતું.
અરજદારે ભારતીય દંડસંહિતાની કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ નોંધાવી છે.
અરજદારે જણાવ્યું છે કે નાયબ મુખ્યમંત્રી અને જવાબદાર વ્યક્તિ આ પ્રકારનું નિવેદન
આપે એ યોગ્ય નહીં. એ અંતર્ગત બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે કડક
કાર્યવાહીની માગ કરાઈ છે.