રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ, કોંગ્રેસે એક બેઠક જીતી
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 11 સીટ છે. 1995 પછી કોંગ્રેસે ક્યારેય 4થી વધારે બેઠકો જીતી
નથી. 25 વર્ષમાં પહેલીવાર
કોંગ્રેસે સૌથી વધારે વિધાનસભા બેઠકો જીતી હતી. પણ પોતાના ધારાસભ્યોના બળવાને લીધે
કોંગ્રેસે 1
બેઠક
ગુમાવી અને 4થી વધુ બેઠકો નહીં
જીતવાનો 25
વર્ષ
જૂનો ઈતિહાસ કાયમ રહ્યો. ભાજપ પણ 7થી વધારે બેઠકો જીતી શક્યો નહીં.
અભય ભારદ્વાજ: કાયદા પંચના
સભ્ય પદે રહી ચૂક્યા હતા
કોણ
છે : મૂળ રાજકોટના વ્યવસાયે
વકીલ એવા અભય ભારદ્વાજની કાયદાપંચના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી.
શું મહત્ત્વ : જનસંઘ સાથે જોડાયેલા
ભારદ્વાજ બહુચર્ચિત ગુલબર્ગ સોસાયટીના કેસમાં આરોપીઓના વકીલ હતા.
રમીલા બારા: ભાજપના સંગઠનમાં
ભૂમિકા ભજવી હતી
કોણ
છે : રમીલા બારા ત્રણ ટર્મથી
ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ઉપાધ્યક્ષ છે. 2004માં જીત્યાં હતાં.
શું મહત્ત્વ : રાજકારણમાં આવ્યા પૂર્વે
બારા ગુજરાત સરકારમાં નાયબ સચિવ કક્ષાના અધિકારી તરીકે 2002માં રાજીનામું આપી
ભાજપમાં જોડાયાં હતાં.
નરહરિ અમીન: કોંગ્રેસના જૂના
જોગી પણ હવે ભાજપમાં
કોણ છે : કોંગ્રેસના દિગ્ગજ નેતા
હતા બાદમાં ભાજપમાં જોડાયા. આયોજનપંચના ઉપાધ્યક્ષ પદે હતા.
શું મહત્ત્વ : સક્રિય રાજકારણથી 8 વર્ષ સુધી દૂર રહ્યાં
બાદ હવે સીધા રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યાં. રાષ્ટ્રીય સ્તરે કદમાં વધારો
થશે.
શક્તિસિંહ ગોહિલ: ગુજરાતના હવે
કોંગ્રેસનો રાષ્ટ્રીય ચહેરો
કોણ છે : કોંગ્રેસના સિનિયર નેતા
ગુજરાત સરકારમાં મંત્રી તથા ચાર ટર્મ સુધી ધારાસભ્ય પદે રહી ચૂક્યાં છે.
શું મહત્ત્વ : રાજ્યસભામાં કોંગ્રેસ
માટે વિપક્ષના મજબૂત નેતા તરીકે ઉભી શકે એમ છે. વિપક્ષ તરીકેનો અનુભવ છે.