• Home
  • News
  • એક્સપોર્ટ કરતા ઉદ્યોગ એકમો સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે 25 એપ્રિલથી શરૂ કરી શકાશે, મુખ્યમંત્રીનો નિર્ણય
post

રાજ્યમાં ૩પ હજાર ઉદ્યોગ એકમો કાર્યરત ૩.રપ લાખ શ્રમિકો-કામદારોને રોજી-રોટી મળતી થઇ ગઇ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-24 12:27:32

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાઈરસની સંક્રમણની સ્થિતિમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઉદ્યોગ એકમોને આર્થિક આધાર આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તેમણે એવા દિશાનિર્દેશો આપ્યા છે કે, રાજ્યમાં જે ઉદ્યોગ એકમો નિકાસ-એક્સપોર્ટ કરે છે અને જેમની પાસે નિકાસ-એક્સપોર્ટના ઓર્ડર્સ હાથ પર છે તેવા ઉદ્યોગ એકમો આગામી શનિવાર તા.રપમી એપ્રિલથી શરૂ કરી શકાશે. મુખ્યમંત્રીના આ નિર્ણયની ભૂમિકા મુખ્યમંત્રીના સચિવએ આપી હતી.


તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે, આવા એક્સપોર્ટ કરતા ઉદ્યોગ એકમો જેમની પાસે એક્સપોર્ટના ઓર્ડર પેન્ડિંગ હોય અને ઉદ્યોગ એકમ મ્યુનિસિપલ લિમિટમાં હોય પરંતુ કન્ટેઇનમેન્ટ વિસ્તાર બહાર કાર્યરત હોય તેમને  એકમ પૂન: શરૂ કરવા પરવાનગી અપાશે. આ હેતુસર, આવા ઉદ્યોગ એકમોએ સંબંધિત જિલ્લા કલેકટરને અરજી કરીને પરવાનગી મેળવવાની રહેશે તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતના કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની સુરક્ષા-સલામતીની ગાઇડલાઇન્સના નિયમો પણ જાળવવા પડશે એવી પણ મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચનાઓ આપી છે તેમ પણ અશ્વિનીકુમારે જણાવ્યું હતું.


મુખ્યમંત્રીએ રાજ્યના અંત્યોદય, ગરીબ વર્ગના ૬૬ લાખ પરિવારો જે NFSA અન્વયે દર મહિને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોએથી અનાજ મેળવવા પાત્રતા ધરાવે છે તેવા લોકો-પરિવારો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય કર્યો છે. વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે કે, આવા ૬૬ લાખ કાર્ડધારકો-પરિવારોના ૩.રપ કરોડ લોકોને આગામી શનિવાર, તા. રપ એપ્રિલ-ર૦ર૦થી વ્યકિતદીઠ ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વિનામૂલ્યે રાજ્ય સરકાર તરફથી વિતરણ કરાશે.


મુખ્યમંત્રીના આ સંવેદનાસ્પર્શી નિર્ણય અંગે મુખ્યમંત્રીના સચિવે જણાવ્યું કે, આવા કાર્ડધારકોને ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી આ અનાજ વિતરણ તા.રપ થી તા. ર૯ એપ્રિલ દરમ્યાન કરવામાં આવશે. તદ્દઅનુસાર, જે NFSA કાર્ડધારકોના રેશનકાર્ડના છેલ્લા આંકડા ૧ અને ર છે તેવા ધારકોને તા. રપ એપ્રિલ શનિવારે, ૩ અને ૪ છેલ્લા આંકડા ધરાવતા કાર્ડધારકોને રવિવારે તા.ર૬ એપ્રિલે, તેમજ પ અને ૬ છેલ્લા અંક ધરાવતા કાર્ડધારકને સોમવારે તા. ર૭ એપ્રિલ, ૭ અને ૮ અંક ધારકોને મંગળવારે તા.ર૮ એપ્રિલ તેમજ ૯ અને ૦ છેલ્લો અંક હોય તેવા NFSA કાર્ડધારકો તા.ર૯ એપ્રિલે  બુધવારે અનાજ મેળવી શકશે. આ અનાજ વિતરણ દરમિયાન પણ ભીડભાડ ન થાય તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જળવાય તેની તકેદારી રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે.
મુખ્યમંત્રીના સચિવે ઉમેર્યુ કે, જો આ દિવસો દરમ્યાન કોઇ પણ NFSA કાર્ડધારક પરિવાર અનાજ વિતરણનો લાભ અનિવાર્ય કારણોસર ન મેળવી શકે તો તેવા લાભાર્થીઓ તા. ૩૦ એપ્રિલે  ગુરુવારે પોતાનું અનાજ મેળવી શકશે એવી સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ આપી છે.

adv

Related News

post
post
post
post
post
post
post