ચમારામાં લગ્નનો માંડવો બંધાયા પહેલાં માતમ છવાયો
આંકલાવ પંથકમાં તોઉ-તે વાવાઝોડાની ભારે અસર જોવા મળી હતી
આંકલાવ તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે વરસતા વરસાદમાં ચમારા ગામના બોરિયા
વિસ્તારમાં એક પરિવાર પોતાના મકાનમાં રસોઈ બનાવી રહ્યો હતો ને અચાનક મકાનની
નળિયાની છત ઉપર પડતાં પતિનું સારવાર ન મળતાં મોત થયું અને પત્નીનો આબાદ બચાવ થયો
હતો ,પરંતુ
માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી.
વાવાઝોડમાં અચાનક છત ઊડી
આંકલાવ
તાલુકાના ચમારા બોરિયા વિસ્તારમાં ખેતમજૂરી કરી જીવન ગુજરાન ચલાવતા ભાઇલાલભાઈ
મેલાભાઈ પઢિયાર (ઉં.વ 40) પરિવારમાં
તાઉ-તે વાવાઝોડાએ વિનાશ સર્જ્યો છે. પોતાના ઘરે એક બાજુ પોતાના દીકરાના જ્વારાની
સ્થાપના કરેલી હતી અને આ શુક્રવારે પોતાની દીકરી કપિલાબેનના લગ્ન લીધા હતા, એ પણ બંધ રાખવા પડ્યા. મંગળવારે
બપોરના ભાઇલાલભાઈ પઢિયાર અને પત્ની સુધાબેન ભાઇલાલભાઈ પઢિયાર, જેઓ ભારે વાવાઝોડામાં ઘરની બહારની
રૂમના અડારામાં રસોઇ બનવી રહ્યાં હતાં ત્યારે અચાનક વાવાઝોડામાં મકાનની નળિયાની છત
ઊડીને પડવાથી બને દટાયાં હતાં.
લગ્ન મોકૂફ રાખી જ્વારા પડ્યા
ઘટનાની
જાણ થતાં આજુબાજુના સ્થાનિકો દોડી આવ્યા હતા અને બંનેને બહાર કાઢ્યા હતા, જેમાં ભાઇલાલભાઈનું બે કલાક સુધી
વાવાઝોડામાં કોઈપણ પ્રકારની સારવાર ન મળતાં મોત નીપજ્યું હતું અને પત્નીને માથાના
ભાગમાં ઈજાઓ પહોંચી હતી. પરિવારમાં શોક હોવાના કારણે દીકરીના લગ્ન બંધ રાખી જ્વારા
પણ પધરાવી દીધા. ઉલ્લેખનીય છે આ ઘટનામાં તંત્ર દેખાયું પણ નહીં.
ઘરમાં રસોઈ બનાવતા સમયે છત તૂટી પડી વધારે વાવાઝોડાને લઈ
બાળકો કાકાને ઘરે જતાં રહ્યાં હતાં. પતિ-પત્ની ઘરે રસોઇ બનાવી રહ્યાં હતાં ને
અચાનક ઘર પરની નળિયાની આખી છત ઊડીને પડતાં બન્ને દટાયા હતા, જેમાં પતિનું સારવાર ન મળતાં મોત
થયું હતું ને પત્નીનો આબાદ બચાવ થયો હતો. પરંતુ માથાના ભાગમાં ઈજાઓ પહોંચી હતી.
મહેન્દ્રભાઈ રાવજીભાઈ પઢિયાર(ભત્રીજો)એ જણાવ્યું હતું કે વાવાઝોડું ખૂબ જ વધારે
હતું. કોઈ પ્રાઇવેટ સાધન મળવું પણ મુશ્કેલ હતું. મોબાઈલ બધાના બંધ હતા. આજુબાજુના
સ્થાનિકોની મદદ લઇ કાકા-કાકીને બહાર તો કાઢયાં, પરંતુ સારવાર માટે લઇ જઈ શકાયાં
નહીં. બે કલાક સુધી કાકા તડપતા રહ્યા, આખરે તેમને સારવાર ન મળતાં દમ
તોડ્યો. હજુ સુધી કોઈ અધિકારી પણ અહીં સ્થિતિ જોવા માટે ન આવ્યો.
બુધવાર બપોર સુધી તંત્ર આ ઘટનાથી
અજાણ
તંત્ર
આ ઘટનાથી બિલકુલ અજાણ રહી. આંકલાવ તાલુકા વિકાસ અધિકારીની વાવાઝોડામાં સતર્કતા નિષ્ફળ
ગઈ. આ ઘટનાથી એકનું સારવાર ન મળતાં મોત થયું ત્યારે તંત્ર ઊંઘતું ઝડપાયું છે.
પરિવારે પંચાયતનો સંપર્ક પણ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળ્યો.