BTPના 2,NCP 1 અને 1 અપક્ષનો મત કૉંગ્રેસને મળે તો ભારે રસાકસીનો ખેલ થાય, ભાજપ સચેત થઈ ગયો
અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની
ચૂંટણી માટે જંગ ચાલી રહ્યો છે. તે સંજોગોમાં BTPના 2 મત પર સંપૂર્ણ મદાર છે, જેથી ભાજપ અને કૉંગ્રેસ
બંને પક્ષો દ્વારા આ 2
મત
મેળવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભાજપને શંકા છે કે BTPના મત તો કૉંગ્રેસને જ
મળશે. જ્યારે 1
અપક્ષ, 1 NCPના પણ કૉંગ્રેસને મળે તો
પણ ભાજપે તેની ત્રણેય બેઠકો જીતવા કૉંગ્રેસમાંથી 3 ધારાસભ્યોનું
ક્રોસવોટિંગ કરાવી દેવાનો ખેલ પાડી રહ્યો છે.
વિધાનસભાની સંખ્યા 172, ભાજપ પાસે 103 અને કોંગ્રેસ પાસે 65 ધારાસભ્યો છે
ગુજરાતમાં
રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે એક તરફ કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોને રાજીનામા અપાવીને
બાજી પોતાની તરફેણમાં કરી લીધી હતી. ત્યાં જ એનસીપીનાં ધારાસભ્યને પક્ષ દ્વારા
કોંગ્રેસની તરફેણમાં મત આપવાનો આદેશ અપાતા ફરી એકવખત ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. હાલમાં વિધાનસભાની
સંખ્યા 172
છે
અને તેમાં ભાજપ પાસે 103
અને
કોંગ્રેસ પાસે 65
ધારાસભ્યો
છે. જ્યારે એનસીપી તથા અપક્ષ 1-1 અને BTPના બે સભ્યો વસાવા ફેમીલીના
છે.
બંને પક્ષો માટે હવે એક બેઠક
જીતવા 34.6
મતોની
જરુર રહેશે
હાલની
સ્થિતિ મુજબ બંને પક્ષો માટે હવે એક બેઠક જીતવા 34.6 મતોની જરુર રહેશે. અને
તે 35 મત ગણાશે. એનસીપીના
ધારાસભ્યને પક્ષની વ્હીપનું પાલન કરવું પડે તો સમગ્ર ખેલ એકડા-બગડા ઉપર ચાલ્યો જાય
તેવા સંકેત છે. કોંગ્રેસને પક્ષ બે બેઠકો જીતવામાં સીધા 70 મતની જરુર પડે જેની પાસે
હાલ 65 મત ઉપરાંત અપક્ષ
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને એનસીપીના ધારાસભ્યના મત મળે તો પણ કુલ 67 મત થાય છે અને ફરી એક
વખત ભારતીય ટ્રાયબલ પાર્ટીનાં બે મતો મહત્વના બની જશે.
ગુજરાત એકમના પ્રમુખપદેથી
શંકરસિંહ વાઘેલાને ખસેડાયા હતાં
એનસીપીના
ધારાસભ્યને જે વ્હીપ અપાયો તે માટે જ એનસીપી ગુજરાત એકમના પ્રમુખપદેથી શંકરસિંહ
વાઘેલાને ખસેડાયા હતાં તે નિશ્ર્ચિત બની ગયું છે. વાઘેલાએ ભાજપ સાથે ફિકસીંગ કરીને
કોઇ વ્હીપનહીં આપે તેવું નિશ્ર્ચિત બનતાં તેમને ખસેડવામાં આવ્યા હોવાનું એનસીપીના
સુત્રોએ જણાવ્યું છે. હવે જો આ ધારાસભ્ય પોતે વ્હીપનો ભંગ કરે તો તે પોતાનું
સભ્યપદ ગુમાવી શકે છે. સુત્રોનાં જણાવ્યા મુજબ અંતે તો વિધાનસભાના અધ્યક્ષ નક્કી
કરે. પરંતુ ભાજપે હાલ તેનાં પ્રથમ ઉમેદવારને મત ફિક્સ કર્યા બાદ તે જ ધારાસભ્ય
બીજીપસંદગીના મતો આપે અને કોંગ્રેસ પક્ષ માટે પણ તેવી સ્થિતિ બને તેવા સંકેત છે.