મંદિરમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીમાતાની મૂર્તિ સુધી બ્રહ્મપુત્રના પાણી પહોંચી ગયા
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-29 09:25:12
ગુવાહાટી: પૂર્વોત્તર
રાજ્યોમાં ભારે વરસાદને કારણે પરિસ્થિતિ વણસી છે. આસામના 21 જિલ્લાના
1289 ગામના 4.63 લાખ
લોકો પ્રભાવિત થયા છે. ગુવાહાટીમાં આવેલા ચક્રેશ્વર મંદિરમાં ભગવાન વિષ્ણુ અને
લક્ષ્મીમાતાની મૂર્તિ સુધી બ્રહ્મપુત્રના પાણી પહોંચી ગયા હતા. હજુ બે દિવસ અહીં
ભારે વરસાદની આગાહી છે.