રાજ્ય સરકારે ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 160. 48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે
ગાંધીનગર: રાજ્ય સરકારે ૧૬૨ નગરપાલિકાઓમાં આ
વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો
માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 160. 48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો
છે.
રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નૂકશાન થયું છે.માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના આવા માર્ગોનું રિસરફેસિંગ – રિપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે.આ સંદર્ભમાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા કરવામાં આવેલી રજૂઆતો કરવામાં આવી હતી.રાજ્યની બ, ક અને ડ વર્ગની 31 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂ. 12.30 કરોડ ફાળવવામાં આવશે
આ રકમનો ઉપયોગ થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે.જે 162 નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે તેમાં અમદાવાદ ઝોનની 27, ગાંધીનગરની 30, વડોદરાની 26, સુરતની 22, રાજકોટની 30 તેમજ ભાવનગરની 27 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે