• Home
  • News
  • રાજ્ય સરકારે રસ્તા રિપેર કરવા 162 નગરપાલિકાઓને રૂ. 160.48 કરોડ ફાળવ્યા
post

રાજ્ય સરકારે ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 160. 48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-11 13:54:57

ગાંધીનગર: રાજ્ય સરકારે ૧૬૨ નગરપાલિકાઓમાં આ વર્ષે અતિભારે વરસાદથી નુકશાન પામેલા માર્ગોની મરામત માટે માર્ગો-રસ્તાના કામો માટે મુખ્યમંત્રી સડક યોજના અન્વયે રૂ. 160. 48 કરોડની ફાળવણી કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યમાં આ વર્ષે ચોમાસાના અતિભારે વરસાદને કારણે શહેરી વિસ્તારોમાં રસ્તાઓને ભારે નૂકશાન થયું છે.માર્ગો પર ખાડા પડવા, ધોવાણ થઇ જવું જેવા કારણોસર નગરોના આવા માર્ગોનું રિસરફેસિંગ રિપેરીંગ કરવું આવશ્યક બની ગયું છે.આ સંદર્ભમાં રાજ્યની વિવિધ નગરપાલિકાઓ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ગ્રાન્ટ ફાળવવા કરવામાં આવેલી રજૂઆતો કરવામાં આવી હતી.રાજ્યની બ, ક અને ડ વર્ગની 31 નગરપાલિકાઓમાં રસ્તાની સુવિધાઓમાં વધારો કરવાના હેતુસર રૂ. 12.30 કરોડ ફાળવવામાં આવશે

આ રકમનો ઉપયોગ થર્મોપ્લાસ્ટ રોડ પેઇન્ટ, કર્બ પેઇન્ટ, સ્ટ્રીટલાઇટ બોર્ડ, રોડ સેફટીના કામો વગેરે માટે કરાશે.જે 162 નગરપાલિકાઓને આ ગ્રાન્ટ મળવાની છે તેમાં અમદાવાદ ઝોનની 27, ગાંધીનગરની 30, વડોદરાની 26, સુરતની 22, રાજકોટની 30 તેમજ ભાવનગરની 27 નગરપાલિકાઓનો સમાવેશ થાય છે