કોરોનાની પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના વીજ વપરાશકારો માટે રાહત રૂપ મહત્વનો નિર્ણય
અમદાવાદ: મુખ્યમંત્રી વિજય
રૂપાણીએ કોરોના વાયરસની સ્થિતીમાં દેશવ્યાપી લોકડાઉન સંદર્ભે ગુજરાતના વીજ
વપરાશકારોને રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં નાના વેપારીઓ, દુકાનદારો
અને ઉદ્યોગો તેમજ ઘર વીજ વપરાશકારો જેમને જીઇબી-ગુજરાત ઇલેકટ્રીક સિટી બોર્ડના વીજ
બિલ ભરવાના થાય છે તેમની માર્ચ અને એપ્રિલ મહિનાના બીલ ભરવાની મુદત તા. 15મી મે
સુધી કરવામાં આવી છે. તદ્દઉપરાંત જો બીલ નિયમિત ન ભરાય તો પેનલ્ટી કે કનેકશન કાપી
નાખવાની બાબત પણ મોકૂફ રાખવામાં આવી છે. વીજ
બિલ ભરવામાં 15 મે સુધીની મુદત તમામ વીજ બીલો માટે અને વપરાશ પૂરતું જ
બિલની રકમની બાબત પણ તમામ માટે લાગુ પડશે.
વેપાર
ઉદ્યોગો-નાના દુકાનધારકોને પણ રાહત
હાલની લોકડાઉનની
પરિસ્થિતીને કારણે વેપાર, ઉદ્યોગ ધંધા બંધ છે તે સંજોગોમાં આવા વેપાર ઉદ્યોગો-નાના
દુકાનધારકો જેમને જીઇબીના બીલ ભરવાના થાય છે તેમને એપ્રિલ મહિનાના બીલમાં ફીકસ
ચાર્જી લેવામાં આવશે નહિ, માત્ર વપરાશનું બીલ જ તેમણે ભરવાનું રહેશે.