આ ટ્રેનમાં ચોક્કસ લાભાર્થીઓને કનેક્શન મળશે
અમદાવાદ: મહામારી
કોરોના અને લોકડાઉનને કારણે અત્યાર સુધી ભારતીય રેલના પૈડા થંભી ગયા હતા. પરંતુ
હવે ટ્રેન સેવાને તબક્કાવાર શરૂ કરવામાં આવી રહી છે. હવે શ્રમિક અને એસી ટ્રેનોની
સાથે સાથે 1 જૂનથી નોન એસી 200 ટ્રેન ચલાવવાનો નિર્મય કર્યો છે. જેનું ઓનલાઈન બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આ
ટ્રેનોનું આજ સવારના 10 વાગ્યાથી
બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. જેમાં મહત્તમ 30 દિવસનું
એડવાન્સ બુકિંગ થઈ શકશે અને ઓનલાઈન જ બુકિંગ થઈ શકશે. માત્ર એટલું જ નહીં જેટલી
સીટ હશે એટલી જ ટીકિટ ઈસ્યૂ કરવામાં આવશે. હવે 200 ટ્રેનની
યાદી સાથે તેનાં નીતિ નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. 200માંથી 10 ટ્રેન
ગુજરાતને ફાળવવામાં આવી છે. જેમાંની મોટાભાગની ટ્રેનો અમદાવાદની છે.
આ ટ્રેનમાં ચોક્કસ લાભાર્થીઓને કનેક્શન મળશે. ચાર પ્રકારની દિવ્યાંગ શ્રેણી
તથા 11 શ્રેણીનાં દર્દીઓને કનેક્શન મળશે. જે તે સ્થળે પહોંચ્યા બાદ પ્રવાસીઓને આરોગ્ય
પ્રોટોકોલનું પાલન કરવુ પડશે.