• Home
  • News
  • ડ્રગ્સની હેરફેર રોકવા સરકારની નવી નીતિ, હવે ડ્રગ્સનું સેવન-સંગ્રહ કરનારની માહિતી આપનારને મોટું ઈનામ મળશે
post

નશીલા પદાર્થોનાં સેવન, સંગ્રહ અને હેરફેર રોકવા સરકાર મક્કમ, નાર્કોટિક એક્ટ વધુ કડક બનાવવા કાર્યવાહી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 11:39:36

મુંબઈની જેમ ગુજરાતમાં પણ નશીલા પદાર્થોનું સેવન વધવા લાગ્યું છે, જેને લીધે યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું હોવાથી ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે અને તેણે ગુજરાતની એન્ટી-નાર્કોટિકની નીતિમાં ધરખમ ફેરફાર કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. છેલ્લા કેટલાક દિવસોથી બોલિવૂડમાં ડ્રગ્સનું સેવન બહાર આવતાં દેશભરમાં એના પડઘા પડ્યા છે, ત્યારે 1961માં અસ્તિત્વકાળની દારૂબંધી ધરાવતું ગુજરાત એન્ટી-નાર્કોટિક અને સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ નીતિ જાહેર કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે

નશીલા અને સાઇકોટ્રોપિકની માહિતી આપનારને ઈનામ અપાશે
ડ્રગ્સની નવી નીતિમાં પોલીસને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સીસ (એનડીપીએસ) કાયદા હેઠળના આરોપીની મિલકત ટાંચમાં લેવા વધુ સત્તા અપાશે. નશીલા અને સાઇકોટ્રોપિક પદાર્થોનાં સેવન અને સંગ્રહની માહિતી આપનારાં પોલીસ અને પ્રજાને ઈનામ આપવાની પણ દરખાસ્ત છે. રાજ્ય ગૃહ વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, નીતિનો પ્રથમ મુસદ્દો તૈયાર છે અને એને મુખ્યમંત્રી સુધી મોકલવામાં આવ્યો છે.

બે વર્ષમાં કચ્છના જખૌ કાંઠેથી 1354 કિલો ચરસનો મોટો જથ્થો પકડાયો
ડ્રગ સીલિંગ માટે ગુજરાતનો ટ્રાન્ઝિટ રૂટ તરીકે ઉપયોગ થઈ રહ્યો હોઈ એન્ટી-નાર્કોટિક નીતિ અમલમાં મૂકવામાં આવશે. છેલ્લાં બે વર્ષમાં રાજ્યમાં કચ્છના જખૌ કાંઠેથી 1354 કિલો ચરસ સહિત નાર્કોટિકનો મોટો જથ્થો પકડાયો છે. નવી નીતિના મુસદ્દા મુજબ, એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારીને નાર્કોટિક બાબતે મળેલી બાતમીના સંદર્ભમાં બાતમીદારને યોગ્ય બદલો આપવાનો નિર્ણય કરવાની સત્તા અપાશે.

અગાઉ સ્ટેશન રેડ ઓફિસરને એનડીપીએસના આરોપીની પ્રોપર્ટી જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સત્તા અપાઈ હતી, પણ નવી નીતિમાં ક્રાઈમ બ્રાંચ જેવી તમામ રાજ્ય પોલીસ એજન્સીઓને આવી સત્તા રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post