મહામ્બ્રેએ કહ્યું કે,‘આ સીરિઝ વર્લ્ડ કપની તૈયારીઓનો ભાગ છે. અમે યુવાઓને તક આપી રહ્યાં છે
બીજી ટી-20માં અંતિમ ઓવરમાં
ભારતીય ટીમે 5 વિકેટનો હારનો સામનો કરવો પડ્યો હતો. જે પછી 24 કલાકની અંદર ભારતીય ટીમ
ત્રીજી ટી-20 રમવા મેદાને ઉતરી હતી. આ મેચમાં જાડેજાને આરામ આપતા હુડ્ડાને તક અપાઈ હતી.
મેચમાં વિન્ડીઝે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના ભોગે 163 રન કર્યા હતા. કાયલ
મેયર્સે 73 રનની ઈનિંગ્સ રમી હતી.
ભારત તરફથી ભુવનેશ્વર
કુમાર અને અર્શદીપ સિંહે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 1 વિકેટ ઝડપી હતી. આ
વિકેટ ઝડપવાની સાથે જ હાર્દિક પંડ્યા આંતરરાષ્ટ્રીય ટી-20માં 50+ વિકેટ અને 500+ રનની બેવડી સિદ્ધિ
મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. બોલિંગ કોચે કહ્યું- વેસ્ટ ઈન્ડિઝ સીરિઝથી
વર્લ્ડ કપ માટેના બોલર નક્કી કરીશું ભારતીય બોલિંગ કોચ પારસ મહામ્બ્રેએ કહ્યું કે, વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ
ટી-20 સીરિઝથી ટીમ મેનજમેન્ટને ટી-20 વર્લ્ડ કપ માટે બોલિંગ યુનિટ તૈયાર કરવામાં મદદ મળશે.
મહામ્બ્રેએ કહ્યું કે,‘આ સીરિઝ વર્લ્ડ કપની
તૈયારીઓનો ભાગ છે. અમે યુવાઓને તક આપી રહ્યાં છે જેથી જાણી શકાય કે- કયા ખેલાડીઓ
ટીમ માટે ઉપયોગી રહેશે. આ રીતે યોજના બનાવવી સરળ રહે છે.’ મહામ્બ્રેએ આવેશ અને
અર્શદીપ સહિત ટીમના યુવા ઝડપી બોલર્સ તથા અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની
પ્રશંસા કરી. તેમણે કહ્યું કે,‘ગત 2 મેચમાં અર્શદીપ અને આવેશે દબાણ હેઠળ સારું પ્રદર્શન કરવાની ક્ષમતા દેખાડી. જે
જોઈને મને આનંદ થયો.’