• Home
  • News
  • રાજુલાના આગરીયામાં ભારે વરસાદનાં કારણે ઘરમાં સુતા પરિવાર પર મકાન ધરાશાયી, સ્થાનિકોએ લોકોને બહાર કાઢ્યા
post

પરિવારનાં સભ્યોને નાની મોટી ઈજા પહોંચી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-08 11:30:09

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજુલાના મોટા આગરીયા ગામમાં ભારે પવન સાથે વરસાદ પડતા એક ગરીબ પરિવારનું મકાન ધરાશાયી થયું હતું. મોડી રાત્રે પરિવારના સભ્યો ઘરમાં સુતા હતા તે દરમિયાન મકાન ધરાશાયી થયું હતું. જો કે સ્થાનિક લોકોની મદદથી પરિવારને બહાર કાઢવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં પરિવારને નાની મોટી ઈજા પહોંચી હતી. આથી તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વરસાદના કહેરથી ગરીબ પરિવારનું ઘર છિનવાતા ચિંતામાં મુકાયા છે.

adv

Related News

post
post
post
post
post
post
post