અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મુસ્લિમ વક્ફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે
લખનઉઃ અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ ખંડપિઠે શુક્રવારે કેન્દ્ર અને રાજ્ય
સરકારોને મુસ્લિમ વક્ફ બોર્ડની રચના કરવા સૂચન કર્યું છે. વર્તમાન સમયમાં શિયા અને
સુન્ની માટે અલગ-અલગ વક્ફ બોર્ડ છે. આ આદેશ ન્યાયમૂર્તિ પંકજ જયસ્વાલ અને
ન્યાયમૂર્તિ આલોક માથુરની ખંડપિઠે મસર્રત હુસૈન તરફથી દાખલ કરવામાં આવેલી જાહેર
હિતની એક અરજી પર આ ચુકાદો આપ્યો હતો. કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી છે કે તે આ
કેસમાં કોઈના ગુણ-દોષ અંગે ટિપ્પણી કરવા માગતી નથી.
હુસૈને એક અરજીમાં
શિયા અને સુન્ની વક્ફ બોર્ડને ખતમ કરી મુસ્લિમ વક્ફ બોર્ડ બનાવવાની માંગ કરી હતી.
તેમની દલીલ હતી કે વક્ફ અધિનિયમની કલમ-13
(2) પ્રમાણે રાજ્ય સરકાર ઈચ્છે તો શિયા અને સુન્ની વક્ફ બોર્ડની અલગ-અલગ
સ્થાપના કરી શકે છે. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે પ્રદેશમાં શિયા વક્ફ બોર્ડની
સંખ્યા કુલ વક્ફ કરતાં ઓછામાં ઓછા 15
ટકા હોય અથવા વક્ફની સંપત્તિથી શિયા વક્ફોની કુલ આવક 15 ટકા હોય.
આ અરજી પ્રમાણે
પ્રદેશમાં ન તો શિયા વક્ફની સંપત્તિ 15
ટકા છે અને ન તો આ સંપત્તિથી કોઈ આવક પ્રાપ્ત થાય છે, જેને લીધે અધિનિયમની કલમ 13 (2) પ્રમાણે પ્રદેશમાં શિયા અને સુન્ની
અલગ-અલગ વક્ફ બોર્ડની સ્થાપના વિધિને લઈ સહમત નથી. આ અરજીકર્તાના મતે 24મી સપ્ટેમ્બર,2019ના રોજ સરકારે પણ એક પ્રાર્થનાપત્ર આપી
એવી માગ કરવામાં આવી હતી, જે અંગે કોઈ વિચાર
કરવામાં આવ્યો ન હતો.