શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટની પ્રતિમા, પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા પર રચવામાં આવી છે
વડોદરા: વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવ સ્થિત સુવર્ણ
જડિત 111 ફૂટ ઊંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા ઉપર મધમાખીઓએ ઘર બનાવ્યું છે.
શિવજીના ડાબા હાથમાં મધપૂડો જોવા મળતા લોકોએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ
કર્યો હતો. વીડિયો વાઇરલ થતાં ધારાસભ્ય યોગેશ પટેલ સુરસાગર ખાતે દોડી ગયા હતા.
તેઓએ જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમા ઉપર થયેલો મધપૂડો કેવી રીતે દૂર કરી શકાય તે અંગે વિચારી
રહ્યા છીએ.
શિવજીની પ્રતિમાને જોઈ
લોકો આશ્ચર્યમાં મુકાયા
શહેરની મધ્યમાં આવેલા સુરસાગરમાં 111 ફૂટ સુવર્ણ જડિત
શિવજીની પ્રતિમા આવેલી છે. આ પ્રતિમામાં શિવજીના ડાબા હાથમાં મધમાખીઓએ પોતાનું ઘર
બનાવ્યું છે. આ મધપૂડા સાથેની શિવજીની પ્રતિમાને જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા
છે. સામાન્ય રીતે ઉનાળામાં મધમાખીઓ સલામત સ્થળે મધપૂડો બનાવતી હોય છે.
કોઈ નુકસાન નહીં થાયઃ
યોગેશ પટેલ
આ પ્રતિમાને પ્રસ્થાપિત કરવામાં મહત્ત્વનો ફાળો આપનાર ધારાસભ્ય યોગેશ પટેલ અને
શિવજીના ભક્તોમાં દોડધામ મચી છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, શિવજીની પ્રતિમામાં
શિવજીના જે હાથમાં ત્રિશૂલ છે તે હાથમાં મધમાખીઓએ મધપૂડો બનાવ્યો છે. હવે આ મધપૂડો
દૂર કરવા અમે પ્રયાસો હાથ ધર્યા છે. આ મધપૂડાથી પ્રતિમાને કોઈ નુકસાન થશે નહીં. આ
મધપૂડો શ્રદ્ધાળુઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સુવર્ણજડિત શિવજીની
પ્રતિમામાં 17.5 કિલો સોનું વપરાયું
111 ફૂટની શિવજીની પ્રતિમાને 12 કરોડ રૂપિયાના ખર્ચે સુવર્ણજડિત કરવામાં આવી છે.
મહાશિવરાત્રિ પર્વ પહેલાં જ પ્રતિમાનું કપડાનું આવરણ દૂર કરવામાં આવ્યું હતું. જો
કે પ્રતિમાનું લોકાર્પણ 18 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના પર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં
આવ્યું હતું. શિવજીની પ્રતિમાને સુવર્ણજડિત કરવા માટે 17.5 કિલો સોનું વપરાયું
હતું.
શિવજીની પ્રતિમાને
બનાવવાનું કામ 2020માં શરૂ થયું
2017માં શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઊંચી પ્રતિમાને
સુવર્ણજડિત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. વડોદરા શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક
દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. યોગાનુયોગ 5 ઓગસ્ટ 2020ના દિને એકબાજુ
અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામમંદિરના નિર્માણનો પ્રારંભ થયો
હતો અને બીજી બાજુ વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સુવર્ણ આવરણ
ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
કોણે પ્રતિમાને સુવર્ણજડિત કરી?
શ્રી સર્વેશ્વર મહાદેવની 111
ફૂટની પ્રતિમા,
પ્લેટફોર્મ અને સ્તંભોની રચનાને ‘અષ્ટસિદ્ધિ યંત્ર’ વિદ્યા પર રચવામાં આવી છે.
પ્રતિમા અને એના પ્લિન્થથી માંડીને સંપૂર્ણ સ્ટ્રક્ચરને બનાવવામાં અંકશાસ્ત્ર, જ્યોતિષવિજ્ઞાન, ગ્રહવિજ્ઞાન, રંગવિજ્ઞાન, સ્પંદનશાસ્ત્ર અને
રાશિ-કુંડલીનો સહારો લેવામાં આવ્યો હતો. મૂળ ઓડિશાના કારીગર રાજેન્દ્ર નાયક અને
તેમની ટીમ દ્વારા પ્રતિમાને સુવર્ણજડિત કરવાનું આ કામ કરવામાં આવ્યું હતું.
રાજેન્દ્ર નાયક અને તેમની ટીમે અંબાજી, શિરડી સાંઈબાબા મંદિર સહિત દેશનાં 50 જેટલાં ધાર્મિક સ્થળોમાં સોનાનું આવરણ ચઢાવવાનું કામ કર્યું છે.
111 ફૂટની શિવજીની
પ્રતિમાની વિશેષતા
·
ચંદન તલાવડીના જૂના નામથી ઓળખાતું અને 18મી સદીમાં બનેલા
સુરસાગરમાં સત્યમ્ શિવમ્ સુંદરમ્ ટ્રસ્ટ દ્વારા 1995માં 111 ફૂટ ઊંચી સર્વેશ્વર
મહાદેવની પ્રતિમાનું નિર્માણ શરૂ કર્યું હતું.
·
વર્ષ 2002માં મહાશિવરાત્રિના દિવસે બી.એ.પી.એસ. સંસ્થાના
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનું
લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
·
5 ઓગસ્ટ 2020ના રોજ સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સોનાનો ઢોળ ચઢાવવાની કામગીરીનો શુભારંભ
કરવામાં આવ્યો હતો.
·
મૂર્તિ પર કાગળ જેવા સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યાં
છે.
·
ગુજરાતમાં સૌપ્રથમ 111 ફૂટની સર્વેશ્વર
મહાદેવની મૂર્તિને સોનાથી મઢવામાં આવી છે.
·
વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પ્રતિમા કોઈ પણ દિશામાં 8થી 10 ઈંચ ઝૂકે તો પણ એને કોઈ
આંચ ન આવે એવી રીતે ડિઝાઇન કરાઈ છે.
·
પ્રતિમા પૂર્વાભિમુખ છે, જેથી પ્રથમ લેવલ પરનાં
પગથિયાં પૂર્વ તરફ રખાયાં છે. આ લેવલથી બીજા લેવલ પર પહોંચવા ચારે ખૂણાના બંને
છેડા 8 નાના ક્યારાથી જોડી દેવાયા છે.