એન્ટિ સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમણે કોરોનાની સાવચેતીના તમામ નિયમોનો કચ્ચરઘાણ કાઢ્યો હતો
Written By newsonline | Ahmedabad | Published: 2020-08-21 10:29:09
ભાજપના
પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ જૂનાગઢથી રાજકોટ આવ્યા તે પહેલાં સૌરાષ્ટ્રના આસ્થાના
કેન્દ્ર એવા ખોડલધામમાં દર્શને ગયા હતા. ત્યાં ભાજપના ધારાસભ્યો તેમજ નેતાઓ દર્શન
બાદ ફોટોસેશન કરાવવા માટે એકઠા થયા હતા અને જાણે તેઓની પાસે કોરોનાની રસી આવી ગઈ
હોય તેમ એકદમ નજીક આવીને ફોટા પડાવવા માટે ઊભા રહી ગયા હતા.
એન્ટિ
સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમણે કોરોનાની સાવચેતીના તમામ નિયમોનો કચ્ચરઘાણ કાઢ્યો
હતો. ઘણા નેતાઓએ તો માસ્ક પણ પહેર્યું ન હતું આ બાબતે માસ્ક ખોવાયું છે તેવી રમુજ પણ ફેલાવાઈ હતી. ખોડલધામમાં સી.આર.પાટીલને
ચાંદીથી તોલવામાં આવ્યા હતા.