• Home
  • News
  • અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સના નામ સુધારણાનો લોકદરબાર, મોટી સંખ્યામાં લોકો પોતાની ફરિયાદ લઈ પહોંચ્યા
post

અરજીઓના નિકાલ માટે સ્થળ પર જ સંપૂર્ણ ચકાસણીઃ જૈનિક વકીલ

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-18 18:57:17

અમદાવાદમાં લોકોના ટેક્સની ફરિયાદોના નિવારણ માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા સાથે ઝોનમાં પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ કાર્યક્રમ યોજવાનો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સવારથી જ ઝોનની ઓફિસ પર નાગરિકો પોતાની ફરિયાદો લઈ પહોંચ્યા હતા. દરેકને પોતાની સંબંધિત ફરિયાદ માટે અધિકારી-કર્મચારીઓએ સાંભળ્યાં હતા.

પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ઉત્તર પશ્ચિમ ઝોન ખાતે આવેલી ઝોનલ ઓફિસ ખાતે કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે, આજે પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેકસ સંબંધિત ફરિયાદો જે પણ નાગરિકોને હોય તે લોકો અહીંયા આવી અને કરી રહ્યા છે.

હું મારા ટેક્સ બિલના નામમાં ફેરફાર કરવા આવ્યો છુંઃ જીનલ સોલંકી
ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા જીનલ સોલંકીએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ટેક્સ બિલમાં નામ અપગ્રેડેશન કે નામ બદલવા માટેની જે પણ સંબંધિત ફરિયાદો હોય છે, તેનું આજે નિવારણ કરવા માટે અહીંયા કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. હું મારા ટેક્સ બિલ નામમાં ફેરફાર કરવાનું હોવાથી અહીંયા આવ્યો છું.

નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ
ટેક્સધારકો તરફથી વિવિધ પ્રકારની અરજીઓ આવતી હોય છે. જેવી કે, નામ ટ્રાન્સફર, નવી આકારણી, ક્ષેત્રફળ અથવા પરિબળમાં સુધારા અંગે અરજી, ખાલી/બંધ અંગે તથા અન્ય પ્રકારની અરજીઓ, પ્રોપર્ટી ટેક્સ અંગેના પ્રશ્નોનો તાકીદે નિકાલ થાય, તથા કરદાતાઓની બાકી અરજીઓનો ઝડપી નિકાલ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા તમામ ઝોનમાં "પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમ"નું આજે આયોજન કરવામાં આવ્યું છે. 18 એપ્રિલે સવારે 10.30થી 2 તથા 3થી 5 વાગ્યા સુધી તમામ ઝોનની ઓફિસો પર રાખવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમના કારણે પેન્ડીંગ રહેલ અરજીઓનો તથા નવી અરજીઓનો ઝડપથી સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.

અરજીઓના નિકાલ માટે સ્થળ પર જ સંપૂર્ણ ચકાસણીઃ જૈનિક વકીલ
રેવન્યુ કમિટિના ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે, પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ટેક્સધારકો દ્વારા અરજી સંદર્ભના તમામ જરુરી પુરાવાઓ રજુ કરી તેમાં નામ ટ્રાન્સફર, નામમાં સ્પેલિંગમાં ભૂલો તથા સરનામામાં જરૂરી ફેરફારની અરજીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવ્યો છે. ટેક્સ ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની, ખાલી-બંધ વગેરે તેમજ અન્ય અરજી સ્થળ ઉપર જ સ્વીકારી અરજદારને રિસિપ્ટ આપવામાં આવી હતી. ત્યારબાદ જે તે ઝોનલ કચેરી દ્વારા અરજદારની અન્ય અરજીઓ જેવી કે, ઘટાડાની અરજી, ક્ષેત્રફળ અથવા પરિબળ ઘટાડવાની, ખાલી-બંધ વગેરે અરજીઓના નિકાલ માટે સ્થળ તપાસ કરી સંપૂર્ણ ચકાસણી કરવામાં આવી હતી.

adv

Related News

post
post
post
post
post
post
post