આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લઈ તપાસ હાથ ધરી છે
Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 09:20:23
જમ્મુ-કાશ્મીરમાં
પુલવામાના કાકાપોરા ચોક પર આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. આતંકવાદીઓના
નિશાન પર સુરક્ષા દળના જવાનો હતા પણ નિશાન ચુકી ગયા અને ગ્રેનેડ માર્ગ પર ફાટી ગયો
હતો. આ હુમલામાં 12 નાગરિકને ઈજા પહોંચી છે. સુરક્ષા દળોને કોઈ જ નુકસાન
પહોંચ્યુ નથી. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.
છરા લાગવાથી નાગરિક
ઈજાગ્રસ્ત થયા
એક પોલીસ અધિકારીએ
કહ્યું હતું કે ઘટના સમયે કાકાપોરા વિસ્તારમાં સુરક્ષા દળોના જવાન ચેકિંગ કરી
રહ્યા હતા. આતંકવાદી સુરક્ષા દળો પર ગ્રેનેડ ફેકવા ઈચ્છતા હતા. પણ નિશાન ચુકી ગયા
અને ગ્રેનેડ માર્ગ પર જ ફાટી ગયો હતો. તેમા આજુબાજુ રહેલા 12 લોકોને ઈજા પહોંચી હતી.
ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.