આર્કિયોલોજિકલ સર્વેના આંકડા મુજબ આવકની દૃષ્ટિએ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ તાજમહાલ સહિત ભારતનાં તમામ સ્મારકો કરતાં ઘણું આગળ
આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’પરથી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ
અર્પી છે. સાથે જ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં એકતા પરેડનું આયોજન કરવામાં
આવ્યું હતું. ત્યારે ગુજરાતના સરદાર સરોવર ડેમ પાસે આવેલી વિશ્વની સૌથી ઉંચી
પ્રતિમા ‘સ્ટેચ્યૂ
ઓફ યુનિટી’ની
લોકપ્રિયતા વિશ્વના અન્ય પ્રવાસન સ્થળો કરતા અનેકગણી વધી રહી છે. અમેરિકાના
ન્યૂયોર્ક સ્થિત વિશ્વ પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઓફ લિબર્ટી’ કરતા પણ વધારે પ્રવાસીઓ હવે
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી રહ્યા છે. ભારત સરકારના આંકડાઓ અનુસાર ગત માર્ચ-2020માં (કોરોના કાળ પહેલા) સ્ટેચ્યુ
ઓફ યુનિટીને જોવા આવનારા પ્રવાસીઓની દૈનિક સંખ્યા 15,036 થઈ ગઈ હતી. જેની સામે સ્ટેચ્યુ ઓફ
લિબર્ટીને જોવા દરરોજ સરેરાશ 10,000 પ્રવાસી જતા હતા.
લોકાર્પણના 2 વર્ષમાં જ સ્ટેચ્યૂની આવક 120 કરોડને પાર
31 ઓક્ટોમ્બર
2018ના
રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 1 નવેમ્બર 2018થી લઈને 17 માર્ચ 2020 સુધીમાં દેશ-વિદેશના 43 લાખ પ્રવાસી આવ્યા હતા. જેમની
પાસેથી પ્રાપ્ત કુલ આવકનો આંક રૂ. 120 કરોડની આસપાસ હતો. જો કે, કોરોના મહામારીના પગલે 17 માર્ચથી 16 ઓક્ટોબર, 2020 એટલે કે 7 મહિના સુધી બંધ રહ્યા બાદ 17 ઓક્ટોબરથી ફરી શરૂ થતા 27 ઓક્ટોબર સુધીમાં 10 હજાર જેટલા પ્રવાસીઓ મુલાકાતે
આવ્યા હતા.
પ્રવાસીઓની સંખ્યા સ્ટેચ્યૂ ઓફ
લિબર્ટી કરતા પણ વધારે
નર્મદા
જિલ્લાની કેવડીયા કોલોનીમાં આવેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓની વધતી સંખ્યાને
પગલે વધુનેવધુ ચર્ચામાં રહેવા લાગ્યું છે. વડાપ્રધાન મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ
યુનિટીની આસપાસમાં અન્ય વિવિધ પ્રકલ્પોને ખુલ્લા મુકવાની જાહેરાત બાદ પ્રવાસીઓનો
ધસારો સતત વધી રહ્યો છે. પ્રતિમાને 31 ઓક્ટોબર, 2018ના રોજ ખુલ્લી મુક્યાના એક વર્ષમાં
જ 24 લાખથી
વધુ લોકોએ આ સ્થળની મુલાકાત લીધી છે. તે સમયે સ્ટેચ્યૂની વાર્ષિક આવક 63.69 કરોડ થઈ હતી. આ રેવન્યુ દેશના ટોપ-5 સ્મારક કરતા ઘણો વધુ છે. આમ, 2019માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી દેશમાં
સૌથી વધુ આવક મેળવનાર સ્મારક બની ગયું હતું.
ભારતના 5 મુખ્ય સ્મારક કરતા પણ સ્ટેચ્યૂ
અગ્રેસર
આર્કિયોલોજિકલ
સર્વે ઓફ ઈન્ડિયા (ASI) 2017-18ના
આંકડા મુજબ ભારતના 5 મુખ્ય
સ્મારકમાં સૌથી વધુ રૂ. 56.83 કરોડની
વાર્ષિક આવક તાજમહાલની હતી. આ દરમિયાન 64.58 લાખ લોકોએ તાજમહાલની મુલાકાત લીધી
હતી. ત્યારબાદ બીજા ક્રમે આગરા ફોર્ટ હતો, જેની વાર્ષિક આવક રૂ. 30.55 કરોડ, ત્રીજા ક્રમે કુતબમિનાર, જેની વાર્ષિક આવક રૂ. 23.46 કરોડ, ચોથા ક્રમે ફતેહપુર સિક્રી, જેની વાર્ષિક આવક રૂ. 19.04 કરોડ અને પાંચમાં ક્રમાંકે લાલ
કિલ્લો હતો જેની વાર્ષિક આવક રૂ. 16.17 કરોડ હતી. જ્યારે સ્ટેચ્યૂ ઓફ
યુનિટીને એક વર્ષ પૂર્ણ થતા એટલે કે 31 ઓક્ટોબર 2018થી 31 ઓક્ટોબર 2019 દરમિયાન 24.45 લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને
તેની વાર્ષિક આવક રૂ. 63.69 કરોડની
હતી.
દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓની
સંખ્યા ડબલ હતી
* સરદાર
પટેલની પ્રતિમાનું 31 ઓક્ટોબર
2018નાં
રોજ રાષ્ટ્રાપર્ણ થયા બાદ પ્રથમ વર્ષમાં જ પ્રવાસીઓનો સતત ધસારો વધ્યો.
* ગત
દિવાળીએ 2,91,640 પ્રવાસીઓએ
મુલાકાત લીધી હતી, જે
આંક અગાઉના વર્ષ કરતાં ડબલ હતો
* 2018ની
દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ દિન 14,918 પ્રવાસીઓની સામે 2019માં દિવાળીની રજાઓમાં સરેરાશ પ્રતિ
દિન 22,434 પ્રવાસીઓ
નોંધાયા.
* 1 નવેમ્બર
2018થી 31 ઓક્ટોબર 2019 સુધીમાં કુલ 27,17,468 પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
* સ્ટેચ્યુ
ઓફ યુનિટીની આસપાસ અનેરા પ્રવાસન આકર્ષણો ઉમેરાતા પ્રવાસીઓની સંખ્યામાં વાર્ષિક 50.4% વધારો.
* દેશમાં
પ્રથમ વાર કેવડિયા ખાતે નાઈટ ટુરિઝમ-રાત્રે મુખ્ય માર્ગ તથા તમામ પ્રોજેક્ટ અવનવી
રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.
કેવી રીતે જશો સ્ટેચ્યૂ ઓફ યુનિટી?
સ્ટેચ્યૂ
ઓફ યુનિટી પહોંચવા માટે નર્મદાથી સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા એરપોર્ટ છે. જે 90 કિલોમીટરના અંતરે છે. વડોદરા
એરપોર્ટ પરથી અન્ય રાજ્ય સાથે કનેક્ટેડ અનેક ડોમેસ્ટિક ફ્લાઈટ્સ છે. જો તમે
ટ્રેનથી જવા માંગતા હોવ તો નર્મદા જિલ્લા પાસે બ્રોડગેજ રેલવે કનેક્ટિવિટી છે, જેનું નજીકનું રેલ્વે સ્ટેશન
અંકલેશ્વર છે. લોંગ રુટ તથા મોટા સ્ટેશન સાથે કનેક્ટેડ ટ્રેન અંકલેશ્વર રેલવે
સ્ટેશન સુધી ઉભી રહે છે. તે જિલ્લાનું કેન્દ્ર રાજપીપળાથી 65 કિ.મી.ના અંતરે છે.
આજથી શરૂ થઈ રહી છે સી-પ્લેન સેવા
31 ઓક્ટોમ્બર(આજથી)ના
રોજ અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર
મોદી આજે કેવડિયાથી સી-પ્લેન મારફતે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ આવશે. પ્રાપ્ત
માહિતી અનુસાર, સી-પ્લેનની
ટિકિટ રૂ. 1500ની
છે. સ્પાઈસજેટની વેબસાઈટ પરથી 30મીથી બુકિંગ શરૂ થશે. સી-પ્લેન શરૂ થતા મુસાફરો અમદાવાદથી
કેવડિયાની હવાઈ મુસાફરીનો આનંદ ઉઠાવી શકશે.