તેમણે કહ્યું કે તે સારું છે કે ભારતમાં વાયરસની સ્ટ્રેઈન એટલો જીવલેણ નથી જેટલી અન્ય દેશોમાં છે
વોશિંગ્ટન: ભારતીય મૂળના અમેરિકા સ્થિત કાર્ડિયોલોજિસ્ટ ડો.ઇન્દ્રનીલ બાસુ રેએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને કોરોના વાયરસ અંગે એક પત્ર લખ્યો છે. આમાં રેએ મમતાને રાજ્યમાં વધતા કોરોના ઇન્ફેક્શનના કેસોમાં જાગૃત રહેવાની સલાહ આપી હતી. તેમણે મુખ્યમંત્રીને પશ્ચિમ બંગાળમાં રોગચાળો રોકવા માટે જરૂરી અને સાવચેતીનાં પગલાં ભરવા જણાવ્યું હતું.
અમેરિકાના ટેનેસીમાં
રહેતા ડો. રેએ જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ
સહિત આખા ભારત માટે સારું છે કે અહીં વાયરસ ફેલાયો છે તે એટલો ચેપી અને જીવલેણ
નથી. તેમણે કહ્યું કે મને આ હકીકત કહેવાની ફરજ પડી છે કે જો આ વાયરસ બંગાળમાં
ઝડપથી ફેલાશે તો તેનાથી ઘણું નુકસાન થશે. કારણ કે રાજ્યમાં ગીચ વસ્તી છે. જો ચેપ
અગ્નિની જેમ ફેલાય તો તે હજારો લોકોને અસર કરશે અને ઘણા લોકોને બરબાદ કરશે.
તકેદારી માટે જરૂરી તમામ પગલા લેવા જોઈએ
ડો. રેએ પત્રમાં
જણાવ્યું હતું કે, આ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું જરૂરી
છે. આ સાથે જ ચેપને ફેલાવવાથી રોકવો અને તેના કારણે થતા મૃત્યુને પણ કાબુમાં કરાવી
પડશે. જેમ અન્ય દેશોમાં થઈ રહ્યું છે. હું તમને પ્રાર્થના કરું છું કે, તમે
તેને રોકવા માટે તમામ પગલાં ભરો. આમાં ટેસ્ટિંગમાં વધારો, આઇસોલેશન
અને કડક લોકડાઉન શામેલ છે. રે એક કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયાક ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ
છે. તેઓ અમેરિકા અને ભારતની અનેક યુનિવર્સિટીઓમાં મેડિસિન અને પબ્લિક હેલ્થના
પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.
પશ્ચિમ બંગાળમાં 2,063
કેસો, 190 લોકોનાં
મોત
દેશમાં કોરોના
ચેપ્ગ્રસ્તોની સંખ્યા 70,768 પર પહોંચી ગઈ છે. પશ્ચિમ બંગાળ એવા
નવ રાજ્યોમાં શામેલ છે જેમાં ચેપની સંખ્યા 2 હજારને
વટાવી ગઈ છે. બંગાળમાં મંગળવારે સવારે કોરોનાના 2,063 કેસ
નોંધાયા છે. તેમાંથી 499 સ્વસ્થ થઇ ગયા છે જયારે 190 લોકોનાં
મોત થયાં છે.