અત્યાર સુધી આઈપીએલમાં 8 ટીમો જોવા મળતી હતી પરંતુ 2022ની આઈપીએલમાં 10 ટીમો વચ્ચે જંગ જામશે
દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની
નવી બે ટીમની જાહેરાત થઈ ગઈ છે. અમદાવાદ અને લખનઉ બે શહેરોની એન્ટ્રી આઈપીએલમાં થઈ
ગઈ છે. અમદાવાદની ટીમને 5625
કરોડમાં
સીવીસી કેપિટલ પાર્ટનર્સે અમદાવાદની ટીમ ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે 7090 કરોડમાં ખરીદી છે.
ભારતીય
ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો નિર્ણય
કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની
ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી
કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં
પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે.
હવે 10 ટીમો વચ્ચે જંગ
આઈપીએલમાં
આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમ જોવા મળશે. આ પહેલા પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં
મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ
સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે.
આગામી વર્ષે મેગા ઓક્શન
યોજાશે
આગામી
વર્ષે IPL
2022ની
શરૂઆત પહેલાં મેગા ઓક્શન યોજાવાની છે. આ હરાજી પહેલા આઈપીએલની તમામ ટીમો પોતાની
સાથે માત્ર 3
ખેલાડીઓને
જ રાખી શકશે. આવી સ્થિતિમાં તમામ ટીમોમાં કેટલાક મોટા ફેરફાર જોવા મળી શકે છે.
મહેન્દ્ર સિંહ ધોનીની CSK
હોય, રોહિત શર્માની મુંબઈ હોય
કે વિરાટની RCB,
તમામ
ટીમો નવા ખેલાડીઓથી ભરેલી હશે અને તે પણ સંપૂર્ણપણે બદલાયેલી દેખાશે.
CSK એ 2021 નું ટાઇટલ જીત્યું
ધોનીની
કપ્તાનીમાં CSKએ 2021 સીઝનનો ખિતાબ જીત્યો
હતો. CSK
ની
આ એકંદર ચોથી IPL
ટ્રોફી
હતી. આ પહેલા CSK
2010, 2011 અને
2018માં IPL ટાઈટલ જીતી ચૂકી છે. CSK સિવાય રોહિત શર્માની
મુંબઈએ 5
વખત
IPL ટાઈટલ જીત્યું છે. બીજી
તરફ KKRએ 2 અને સનરાઇઝર્સ હૈદરાબાદે
એક વખત IPL
ટાઇટલ
જીત્યું હતું.