શંકરસિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી NCPના તમામ હોદ્દાઓ હટાવી દીધા
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:32:21
અમદાવાદ: NCPએ આજે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરી છે. NCPએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ
વાઘેલાના સ્થાને પ્રદેશ પ્રમુખપદે જયંત પટેલની નિયુક્તિ કરી છે. જેને પગલે
શંકરસિંહે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી NCPના તમામ હોદ્દાઓ હટાવી દીધા છે. ઉલ્લેખનીય છે કે, જૂન 2019માં શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાયા હતા અને ત્યાર
બાદ તેમને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.