• Home
  • News
  • જસ્ટિસ એસ.એ બોબડેને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 47માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદના શપથ અપાવ્યા
post

જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સોમવારે સુપ્રીમ કોર્ટના 47માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદના શપથ લીધા છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-18 10:23:47

નવી દિલ્હી: જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સોમવારે સુપ્રીમ કોર્ટના 47માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદના શપથ લીધા છે. તેઓ 17મી નવેમ્બરે નિવૃત્ત થયેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની જગ્યા લીધી છે. જસ્ટિસ બોબડેનો કાર્યકાળ 17 મહિનાનો હશે. તેઓ 23 એપ્રિલ 2021માં નિવૃત્ત થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તેમને આજે શપથ અપાવ્યા.

જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીથી કાયદાની ડિગ્રી લીધી હતી. ત્યારપછી વર્ષ 2000માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે તેમની નિમણૂક થઈ હતી. ત્યારપછી વર્ષ 2012માં તેમણે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે પદ સંભાળ્યું હતું. એપ્રિલ 2013માં તેમની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક થઈ હતી. જસ્ટિસ બોબડે પૂર્વ સીજેઆઈ ગોગોઈ વિરુદ્ધ યૌન શોષણના આરોપની તપાસ માટે બનાવવામાં આવેલી સમિતિમાં સામેલ હતા.

પૂર્વ ચીફ જસ્ટિસ ગોગોઈએ 3 ઓક્ટોબર 2018ના રોજ 46માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા તરીકેનો કાર્યભાર સંભાલ્યો હતો. તેમનો કાર્યકાળ 13 મહિના 15 દિવસનો રહ્યો. જસ્ટિસ ગોગોઈ તેમના કાર્યકાળામાં કામાખ્યા દેવીના દર્શન માટે બે વાર ગયા હતા. તેમણે અયોધ્યા વિવાદ પર ઐતિહાસીક ચુકાદો આપ્યો હતો. રાફેલ મુદ્દામાં પુન:વિચાર અરજી ફગાવી હતી. ચીફ જસ્ટિસ ને આરટીઆઈના કાયદામાં સામેલ કર્યા.