શું કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા પણ પક્ષ બદલવાની તૈયારીમાં છે?
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-06 11:22:09
રાજકોટ: કોંગ્રેસનાં
ધારાસભ્યોનાં પક્ષપલટા વચ્ચે MLA લલિત
વસોયાની જીભ લપસી ગઈ. ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા કહ્યું કે
આજેય નહિં અને ભવિષ્યમાં પણ નહિં હું , કિરિટભાઈ
કે લલિતભાઈ કે પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસમાં જવાનું વિચારી પણ ન શક્યે. આમ પોતે
કોંગ્રેસમાં હોવા છતાં આ પ્રકારનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. આ નિવેદન પરથી
એક સવાલ થાય છે કે શું કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત વસોયા પણ પક્ષ બદલવાની તૈયારીમાં
છે?