ધંધા-રોજગાર અને જનજીવન ધબકતાં લોકોમાં નવી આશાનો સંચાર થયો
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 11:36:41
જામનગર: લોકડાઉન 4માં મળેલી છુટછાટો પછી
મંગળવારે સવારથી જ જામનગરના રણજીત રોડ પર માનવ મહેરામણ ઉમટતા ટ્રાફિક જામ થઇ ગયો
હતો. બજારમાં આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હોવા છતાં પણ દુકાનોમાં ખાસ કોઇ
ખરીદી થઇ ન હતી. મોટાભાગના વેપારીઓએ સાફ-સફાઇમાં જ દિવસ પસાર કર્યો હતો. જામનગરમાં
પાન-મસાલાની દુકાનો પણ ન ખુલી હોવાથી નગરજનો માત્ર ટહેલવા માટે જ ઘરની બહાર નિકળી
પડ્યા હોય એવો માહોલ હતો.