• Home
  • News
  • ગૃહમાં હોબાળો ન થાય એટલે અમદાવાદમાં દારૂના અડ્ડા બંધ કરાવી દેવાયા
post

વિપક્ષે ભાજપનો ઘેરાવો કરતા 17 માર્ચ સુધી દારૂ-જુગારના અડ્ડાઓ બંધ કરાવવા ડીજીનો આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 11:48:31

અમદાવાદ: દારૂ-જુગારના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં ભાજપનો ઘેરાવો કરતાં ડીજીપીએ સમગ્ર રાજ્યમાં 17 માર્ચ સુધી દારૂ-જુગારની ડ્રાઇવ યોજવા પોલીસને કડક સૂચના આપી છે.


પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં હાલમાં ચોરીછૂપે તેમજ પોલીસની મંજૂરીથી દેશી - વિદેશી દારૂના નાના- મોટા 1000 જેટલા સ્ટેન્ડ ચાલે છે. તેમજ જીમખાના સહિત નાના-મોટા 50 જુગારધામ ચાલે છે. જોકે દારૂ - જુગારના ધંધા બંધ કરાવી દીધા બાદ હવે ત્યાં હવે રેડ પાડવાનું નાટક શરૂ કરવામાં આવ્યું છે.


ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ હોવાના મુદ્દે કોંગ્રેસે વિધાનસભા સત્રમાં જ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. જેના પગલે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ 17 માર્ચ સુધી દારૂ - જુગારના અડ્ડાઓ ઉપર ખાસ ડ્રાઈવ યોજવા પોલીસને સૂચના આપી છે. આ અંગે તમામ શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ વડાને સૂચના અપાઈ છે.


ત્રણ વર્ષમાં દેશી દારૂનું વેચાણ વધ્યું
શહેરમાં 3 વર્ષથી વિદેશી કરતાં દેશી દારૂનું વેચાણ વધ્યું છે. સરદારનગર, મેઘાણીનગર, નરોડા, કૃષ્ણનગર, ગોમતીપુર, બાપુનગર, વટવા, રામોલ, અને કાગડાપીઠમાં જ 15થી 20 જેટલા બુટલેગરો સ્ટેન્ડ ચલાવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post