• Home
  • News
  • ડેપ્યૂટી સીએમ અજીત પવારનું રાજીનામું, 3.30 વાગે ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ
post

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર મામલે આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-11-26 14:55:37

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર મામલે આજે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આખી ગેમ પલટાઈ ગઈ છે. ડેપ્યૂટી સીએમ અજીત પવારે આજે રાજીનામું આપી દીધું છે. ડીડી ન્યૂઝના સૂત્રો દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ આજે 3.30 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. આ દરમિયાન કોંગ્રેસે માંગણી કરી છે કે, બાલા સાહેબ થોરાટને પ્રોટેમ સ્પીકર પસંદ કરવામાં આવે. જે વિધાનસભામાં સૌથી સીનિયર છે અને તેઓ 8 વાર ધારાસભ્ય રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપ કોર કમિટિની બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન ઉપમુખ્યમંત્રી અને એનસીપી નેતા અજીત પવાર મુખ્યમંત્રીના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમણે રાજીનામું સોંપ્યું છે.