• Home
  • News
  • ગુજરાતી સ્ટાર મલ્હાર ઠાકરે કોરોના સામે લડવા માટે 1 લાખ 70 હજાર રૂપિયાનું દાન કર્યું, રખડતા શ્વાન માટે પણ હમદર્દી જતાવી
post

હું આશા રાખું છું કે મારું યોગદાન આપણા નાગરિકોને કોઈને કોઈ રીતે મદદમાં આવે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-01 12:07:46

અમદાવાદ : મહામારી કોરોના વાઇરસની લડત માટે હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ યથાશક્તિ આર્થિક સહાય આપી રહ્યા છે. હવે આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સ્ટાર પણ સામેલ થઇ રહ્યા છે. આ શરૂઆત મલ્હાર ઠાકરે કરી છે. તેણે કુલ 1,70,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે.

તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે કે, હું પીએમ રિલીફ ફંડ અને બીજા ડિવિઝનને સપોર્ટ આપવાની શપથ લઉં છું. લોકોને થતી મુશ્કેલીને જોઈને મને ઘણું દુઃખ થાય છે હું આશા રાખું છું કે મારું યોગદાન આપણા નાગરિકોને કોઈને કોઈ રીતે મદદમાં આવે.

મલ્હાર ઠાકરે 1 લાખ રૂપિયા પીએમ રિલીફ ફંડમાં, 20,000 રૂપિયા મુંબઈ થિયેટર ઇન્ડસ્ટ્રીના ડેઇલી વેજર્સને, 20,000 રૂપિયા ગુજરાત ઇન્ડસ્ટ્રીના અમદાવાદ ડેઈલી વેજર્સને, 25,000 રૂપિયાની સ્પોટ બોય્ઝને કિટ અને 5,000 રૂપિયા રખડતા શ્વાન માટે આપ્યા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post