બે ભાઈઓ અને તેમના 4 બાળકોના મૃતદેહ ફ્લેટમાંથી મળતા સમગ્ર વિસ્તારમાં કમકમાટી
Written By newsonline | Ahmedabad | Published: 2020-06-19 10:49:26
અમદાવાદ: શહેરના વિંઝોલ
વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા
કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે
પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે
પોલીસને હજી કોઈ માહિતી મળી નથી.