• Home
  • News
  • અયોધ્યાના દીપોત્સવી કાર્યક્રમને મેળાનો દરજ્જો
post

કાર્યક્રમમાં 26મી ઓક્ટોબરે 5.51 લાખ દીપ પ્રગટાવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-23 11:15:13

લખનઉઃ દિવાળી નિમિત્તે અયોધ્યામાં યોજાનારા દીપોત્સવી કાર્યક્રમને ઉત્તરપ્રદેશ સરકારે મેળાનો દરજ્જો આપ્યો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. અત્યાર સુધી આ કાર્યક્રમ પાછળ પર્યટનવિભાગ નાણાં ખર્ચ કરતું હતું. પરંતુ હવે રાજ્ય સરકાર જિલ્લા વહીવટીતંત્ર મારફતે પોતે જ નાણાં પૂરા પાડશે. આ વર્ષે યોજાનારા આ કાર્યક્રમમાં 26મી ઓક્ટોબરે 5.51 લાખ દીપ પ્રગટાવાશે. આ માટે સરકારે 133 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.