• Home
  • News
  • હવામાન વિભાગની આગાહી:ગુજરાતમાં તાઉ-તે સંકટ ટળ્યું તો હવે ફરી એકવાર ગરમીનો પ્રકોપ શરૂ થશે, અમદાવાદ સહિતમાં ગરમીનો પારો વધશે
post

વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-20 11:32:08

તાઉ તેવાવાઝોડાની અસરથી મંગળવારે અમદાવાદ સહિત રાજ્યમાં ફુંકાયેલા ભારે પવનો અને વરસાદને કારણે મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. અમદાવાદનાં મહત્તમ તાપમાનમાં 10 ડિગ્રી અને લઘુત્તમ તાપમાનમાં 5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડકમાં વધારો થયો છે. જો કે, આગામી બે દિવસ વાદળિયું વાતાવરણ રહ્યાં બાદ અમદાવાદ સહિત રાજ્યમાં ગરમી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

21 મે બાદ ગરમી વધવાની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે, 21 મે બાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ફરી ગરમી વધવાની સંભાવના છે. અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં 5 ડિગ્રીની આસપાસ ગરમીનો પારો વધી શકે છે. વાદળછાયા વાતાવરણ બાદ ગરમી શરૂ થતા ઉકડાટથી લોકો પરેશાન થશે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, બોટાદ તેમજ ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો.

 

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદમાં ખાબકેલા 6 ઇંચ જેટલા વરસાદ અને ભારે પવનોથી ઠંડકમાં વધારો થયો હતો. જેને પગલે બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 10.2 ડિગ્રી ગગડીને 31.7 ડિગ્રી જયારે લઘુત્તમ તાપમાન 4.9 ડિગ્રી ગગડીને 22.2 ડિગ્રી નોંધાયું હતું. જેને કારણે શહેરમાં વહેલી સવારથી વાદળિયા વાતાવરણ સાથે ઠંડકનું પ્રમાણ વર્તાયું હતું. આગામી બે દિવસો દરમિયાન વાદળિયું વાતાવરણ રહેશે, ત્યારબાદ ક્રમશ ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

શેલામાં 10 વીજ પોલ પડતાં 72 કલાક વિજળી ડુલ
વાવાઝોડા અને ભારે વરસાદના પગલે શેલાના મોટાભાગના વિસ્તારમાં બે દિવસમાં 10 વીજપોલ પડી જતાં 72 કલાકથી વિજળી ડુલ રહી હતી. યુજીવીસીએલના કચેરી તરફથી પાંચથી છ કલાકમાં વીજ પુરવઠો આવી જવાની જાહેરાત કરાઇ હતી. પરંતુ બુધવાર સવાર સુધી વીજ પુરવઠો પુર્વવત નહીં થતાં લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post