• Home
  • News
  • મુરાદાબાદ-ચેન્નાઈમાં ડૉક્ટરનું મોત, ચેન્નાઈમાં લોકોએ દફનવિધિ વખતે જ હુમલો કર્યો
post

તેમની ડ્યુટી તબલીગી જમાતના સરવે માટે હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 09:23:35

મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક યુવાન ડૉક્ટરનું કોરોનાને કારણે મોત થયું છે. તેમની ડ્યુટી તબલીગી જમાતના સરવે માટે હતી. આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. ચેન્નાઈમાં પણ એક ડૉક્ટરનું મોત થયું હતું. તેને દફનાવવા ગયેલા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો. દરમિયાનમાં મુંબઈમાં સોમવારે 53 રિપોર્ટર-કેમેરામેનને ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ તમામને ક્રિટીકલ સેન્ટર ખાતે દેખરેખ હેઠળ રખાશે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરાશે. બીએમસી દ્વારા 16 અને 17 એપ્રિલે 167 મીડિયા કર્મીઓની તપાસ કરવામાં આવી હતી

adv

Related News

post
post
post
post
post
post
post