તેમની ડ્યુટી તબલીગી જમાતના સરવે માટે હતી
Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 09:23:35
મુરાદાબાદ: ઉત્તર પ્રદેશના
મુરાદાબાદમાં એક યુવાન ડૉક્ટરનું કોરોનાને કારણે મોત થયું છે. તેમની ડ્યુટી તબલીગી
જમાતના સરવે માટે હતી. આ દરમિયાન તેમની તબિયત બગડી હતી. ચેન્નાઈમાં પણ એક
ડૉક્ટરનું મોત થયું હતું. તેને દફનાવવા ગયેલા લોકો પર ટોળાએ હુમલો કર્યો હતો.
દરમિયાનમાં મુંબઈમાં સોમવારે 53 રિપોર્ટર-કેમેરામેનને
ચેપ લાગ્યો હોવાનું બહાર આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ તમામને ક્રિટીકલ સેન્ટર
ખાતે દેખરેખ હેઠળ રખાશે. તેમના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરાશે. બીએમસી
દ્વારા 16 અને 17 એપ્રિલે
167 મીડિયા કર્મીઓની તપાસ કરવામાં આવી હતી.