• Home
  • News
  • ગોતા હત્યાકેસમાં વળાંક:સાસુની હત્યા કરનારી પુત્રવધુના સસરા સાથે આડાસંબંધનો કકળાટ હતોઃ નિકિતાના ગર્ભમાં રહેલું બાળક પણ સસરાનું હોવાનો ઝઘડો હતો?
post

નિકિતાના સસરાને કોરોના પોઝિટિવ છે અને 24 ઓક્ટોબરથી સારવાર હેઠળ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-29 11:00:12

ગોતાના સત્યમેવ વિસ્ટા પાસે આવેલા રોયલ હોમ્સમાં પુત્રવધૂએ સાસુની હત્યા કર્યાના બનાવમાં નવો જ વળાંક આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છેકે, હત્યા કરનાર પુત્રવધૂ નિકિતાને 1 મહિનાનો ગર્ભ છે. પુત્રવધૂના સસરા સાથે આડસંબંધની શંકાને લઇને છેલ્લા એક અઠવાડિયાથી કકળાટ ચાલતો હતો. નિકિતાના ગર્ભમાં રહેલું બાળક સસરાનું હોવાના સાસુ દ્વારા આક્ષેપ કરવામાં આવતા હતા, જેને લઇને બન્ને વચ્ચે ઝગડો થયો હતો. મંગળવારે પણ આ બાબતે ઝગડો થયો હતો અને નિકિતાએ સાસુને સળિયાના ફટકા મારી હત્યા કરી હતી.

ગર્ભમાં રહેલા બાળકને લઇને એક અઠવાડિયાથી ઝગડો ચાલતો હતો
સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી.જાડેજાએ divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાસુ વહુ વચ્ચે અવારનવાર ઝગડા થયા હતા. જો કે છેલ્લા એક અઠવાડિયાથી સાસુ વહુ વચ્ચે આરોપી નિકિતાના ગર્ભમાં રહેલા બાળકને લઈને ઝગડા થતા હતા. નિકિતાના ગર્ભમાં રહેલુ બાળક સસરાનું હોવાનો આક્ષેપ સાસુ કરતી હતી. જેને લઈ બોલાચાલી થઈ હતી. આ બાબતે સાંજે શરૂ થયેલો ઝઘડો રાતે 8 વાગ્યે ઉગ્ર બની ગયો હતો. જેથી આવેશમાં આવી નિકિતાએ લોખંડનો સળિયો હાથમાં આવી જતાં ઘા મારી દીધા હતાં.

પુત્ર મંદિરે દર્શન કરવા ગયો અને ખૂની ખેલ ખેલાયો
દિપક અગ્રવાલ ગોતામાં મહાવીર ગ્રેનાઇટ અને આર.કે. સ્ટોનના નામે વેપાર કરે છે. 24 ઓક્ટોબરે દિપકના પિતાને કોરોના થતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મંગળવારે રાત્રે દિપક જમીને હનુમાનજીના મંદિરે દર્શન કરવા ગયો હતો એ સમયે ઘરમાં સાસુ રેખાબેન અને પુત્રવધૂ નિકિતા ઘરમાં એકલા જ હતા. જે દરમિયાન બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી અને ઘરના બંધ બારણાં વચ્ચે નિકિતાએ ખૂની ખેલ્યો હતો. લોખંડના સળિયા વડે સાસુના માથામાં ઘા મારતા ચીસો અને બૂમાબૂમ થઇ હતી. જે સાંભળીને આસપાસના ફ્લેટના લોકો પણ ભેગા થઇ ગયા હતા.

બારીમાંથી પ્રવેશી દિપકે ઘરમા જોયું તો રૂમ લોહીથી ખરડાયેલો હતો
બૂમાબૂમ સાંભળીને ફ્લેટના રહિશો એકઠા થયા હતા, જોકે થોડીવાર બાદ અવાજો સંભળાતા બંધ થઇ ગયા હતા. જેથી રહિશોને લાગ્યું કે બધુ શાંત થઇ ગયું છે. જે દરમિયાન કોઇ રહિશે આ બોલાચાલી અંગે દિપકને જાણ કરતા તે ઘરે આવ્યો હતો. દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઇએ ખોલ્યો ન હતો. તેથી દિપકે ફોન કરતા નિકિતાએ કહ્યું હતું કે બેડરૂમમા મને પૂરી દીધી છે. જોકે દિપકને શંકા જતા તેણે પહેલો જ માળ હોવાથી સીડી વડે બારીમાંથી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પ્રવેશ કરતા જ રૂમ લોહીથી ખરડાયેલો હતો અને અર્ધ બળેલી હાલતમાં લાશ પડી હતી.

પત્નીએ હત્યા કર્યાનું જાણ થતાં દિપકે પોલીસને બોલાવી
દિપકે બેડરૂમમાં જઇને જોયુ તો લોખંડનો સળિયો સાઇડમાં રાખેલો હતો અને નિકિતા વિકનેસ હોવાનું કહીને સૂઇ રહી હતી. પત્ની નિકિતાએ જ માતા રેખાબેનની હત્યા કરી હોવાની જાણ થતાં દિપકે પોલીસને બનાવ અંગે જાણ કરી હતી. સોલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પુત્રવધૂ સાસુની લાશને ઘરમાં જ સળગાવી દેવા માગતી હતી, પરંતુ લાશ બરોબર સળગી ન હતી. તેણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે એ જ સમયે દિપક આવી ગયો હતો.

સાસુએ સળિયો ઘોંપી દીધો તો વહુએ આંચકીને માથા પર ફટકા માર્યા
મંગળવારે રાત્રે આશરે 8 વાગ્યે સાસુ રેખાબેન અને વહુ નિકિતા ઘરમાં એકલાં હતાં. નિકિતા રસોઈ કરતી હતી. ત્યારે રેખાબેને તારા પેટમાં તારા નહીં મારા પતિનું બાળક છેએમ કહીને નિકિતાની પીઠમાં સળિયો ઘોંપી દીધો. રોષે ભરાયેલી નિકિતાએ સાસુના હાથમાંથી સળિયો આંચકીને તેમના માથે મારી દીધો.

... અને સસરાનો મેસેજ- અભી દીપક સે દૂર રહેના
નિકિતાના મોબાઈલમાં 24 ઓક્ટો.એ મેસેજ હતો જેમાં સસરા રામનિવાસે લખ્યું હતું, ‘તુ અભી દીપક સે દૂર રહેના.

 

adv

Related News

post
post
post
post
post
post
post