તેઓ છેલ્લા 35 વર્ષથી રીઅલ એસ્ટેટ સેક્ટર સાથે સંકળાયેલા હતા
Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 08:49:49
અમદાવાદ: ગુજરાતના
જાણીતા ઉદ્યોગપતિ અને બિલ્ડર NG ગ્રુપ ઓફ કંપનીના
સહ-સ્થાપક નરસિંહ પટેલનું આજે અમદાવાદ ખાતે નિધન થયું છે. મળતી વિગતો મુજબ આશરે 65 વર્ષના
નરસિંહભાઈ છેલ્લા થોડા વર્ષોથી બીમાર રહેતા હતા. નરસિહભાઈ પટેલે 1986માં તેમના
ભાઈ સાથે NG ગ્રુપની શરૂઆત કરી હતી અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અને અમદાવાદના સૌથી
મોટા ગેલોપ્સ મોલનું નિર્માણ કર્યું હતું.
અમદાવાદમાં ઘણા
મોટા રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવ્યા
નરસિહભાઈ પટેલની આગેવાનીમાં કંપનીએ ઘણા રહેણાંક પ્રોજેક્ટનું નિર્માણ કર્યું
છે. તેમાં અશ્વમેઘ બંગ્લોઝ, અશ્વરાજ બંગ્લોઝ, અશ્વવિલા, તીર્થરાજ, કલ્પવૃક્ષ સહિતના અમદાવાદના જાણીતા બિલ્ડિંગ મુખ્ય છે. આ ઉપરાંત તેઓ ઘણી
સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા.