NCERTનું સૂચન: રૂમના બદલે ખુલ્લા આકાશ નીચે ભણાવાય તો વધુ સારું
નવી દિલ્હી: એનસીઈઆરટીએ
સ્કૂલો ખોલવાની તૈયારીને લઈને સરકારને ગાઈડલાઈનનો ડ્રાફ્ટ સોંપી દીધો છે. આ
ડ્રાફ્ટ પ્રમાણે, સ્કૂલ ખૂલ્યા પછી એક ધોરણમાં એક જ ક્લાસમાં ભણતા
વિદ્યાર્થીઓને એકસાથે નહીં બોલાવાય. આ માટે રોલ નંબર પ્રમાણે ઑડ-ઈવન ફોર્મુલા
અપનાવાશે અથવા તો બે શિફ્ટમાં ક્લાસ લેવાશે. વિદ્યાર્થીઓના સ્કૂલ પહોંચવાના સમયે
ધોરણો પ્રમાણે 10-10 મિનિટનું અંતર રખાશે. આ ડ્રાફ્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના
હેતુથી ક્લાસ ખુલ્લા આકાશ નીચે લેવાય એવું પણ સૂચન કરાયું છે.
આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ માટે એક સીટ પર એક જ વિદ્યાર્થીને
બેસાડી શકાશે અને માર્ગદર્શિકામાં વધુ વિગતો જાહેર કરાશે. હોસ્ટેલ હોય ત્યાં બેડ
પણ 6-6 ફૂટના અંતરે રાખવાના રહેશે અને કુલ ક્ષમતાના 33% વિદ્યાર્થી જ હોસ્ટેલમાં રહી શકશે.
6 તબક્કામાં સ્કૂલ ખૂલશે
·
પ્રથમ
તબક્કો – 11માં અને 12માંના ક્લાસ શરૂ થશે.
·
1 અઠવાડિયા પછી – 9માં અને 10માંના ક્લાસ શરૂ થશે.
·
2 અઠવાડિયા પછી – 6થી 8 ધોરણ સુધીના ક્લાસ શરૂ થશે.
·
3 અઠવાડિયા પછી – 3થી 5 ધોરણના ક્લાસ શરૂ થશે.
·
4 અઠવાડિયા પછી – પહેલા
ધોરણના ક્લાસ શરૂ થશે.
·
5 અઠવાડિયા પછી – વાલીઓની
સંમતિથી નર્સરી-કેજીના ક્લાસ શરૂ કરી શકાશે. કન્ટેનમેન્ટ ઝોનની સ્કૂલ બંધ રહેશે.
સ્કૂલ : ક્લાસમાં બાળકો વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી
·
ક્લાસમાં 30 કે 35 બાળકોને જ બેસાડી શકાશે. વિદ્યાર્થીઓ વચ્ચે 6 ફૂટનું અંતર જરૂરી.
·
ક્લાસમાં
એસી નહીં ચલાવાય. દરવાજા-બારી ખૂલ્લાં રહેશે.
·
વિદ્યાર્થીઓને
ઓડ-ઈવનના આધારે બોલાવવાના રહેશે પણ હોમ એસાઈનમેન્ટ રોજ આપવાનું.
·
ડેસ્ક પર
નામ લખેલું હશે, જેથી બાળકો રોજ એક જ જગ્યાએ બેસે.
·
મોર્નિંગ
એસેમ્બલી અને વાર્ષિક ઉત્સવ નહીં યોજાય.
બાળકો: નોટ-બુક્સ, પેન્સિલ, નાસ્તો શૅર નહીં કરી શકે
·
દરેક બાળક
માટે માસ્ક જરૂરી.
·
બાળકો
નોટ-બુક્સ, પેન, પેન્સિલ, ઇરેઝર વગેરે શૅર નહીં કરી શકે.
·
પાણી ઘરેથી
લઇને આવશે. નાસ્તો કોઇની સાથે શૅર નહીં કરી શકે.
·
જે
વિદ્યાર્થીઓ સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવે તેમના વાલીઓને જાણ કરાશે.