• Home
  • News
  • IPL2020: ટુર્નામેન્ટમાંથી પીછેહઠ કર્યા બાદ સ્ટાર સુરેશ રૈનાનું નિવેદન, કહ્યું- મારા માટે…
post

સુરેશ રૈના તેના બે બાળકો જેમાં 4 વર્ષની પુત્રી ગ્રેસિયા અને 5 મહિનાનો પુત્ર રિયોની ચિંતામાં હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-31 10:25:57

MS ધોનીની આગેવાનીવાળી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK)ને સુરેશ રૈનાના ભાગરૂપે મોટો ઝટકો લાગ્યો છે. રૈના આઈપીએલ(IPL)ની 13મી સીઝનમાં હવે નહીં રમે અને તે ટીમ છોડીને ભારત પરત ફરી ગયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે શનિવારે એક ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી.


ટીમે ટ્વીટ કરી લખ્યું કે સુરેશ રૈનાએ પારિવારિક કારણોસર આઈપીએલ 2020થી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે અને તે ઘરે પરત ફરી રહ્યો છે. ત્યારે એક મીડિયા રિપોર્ટ અનુસાર રૈના શનિવારે યુએઈ(UAE) થી દિલ્હી પહોંચી ગયો છે અને તેણે દિલ્હીના મકાનમાં પોતાને અલગ રાખ્યો છે. આ સાથે, એ પણ બહાર આવ્યું છે કે રૈનાએ ઘરે પાછા ફરવાનું કેમ નક્કી કર્યું.

મીડિયા રિપોર્ટ મુજબ સુરેશ રૈના તેના બે બાળકો જેમાં 4 વર્ષની પુત્રી ગ્રેસિયા અને 5 મહિનાનો પુત્ર રિયોની ચિંતામાં હતો. રૈના કહે છે કે બાળકો કરતા વધુ કંઈ મહત્વનું નથી. હકીકતમાં, ચેન્નઈ સુપર કિંગ્સમાં બે ખેલાડીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થાય છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોરોનાના વધતા મામલાને કારણે રૈનાએ આઈપીએલમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય લીધો છે.