આ બેઠકમાં હાજરી આપનાર રાષ્ટ્રીય જનતા દળે પણ ટ્વીટ કર્યું છે કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ભારતનું પ્રતિબિંબ છે.
બેંગલુરુમાં વિપક્ષી
એકતાની બીજા દિવસની બેઠક પૂરી થઈ ગઈ છે. 2024ની સામાન્ય ચૂંટણીમાં
ભાજપને હરાવવા માટે વિપક્ષની 26 પાર્ટી એકસાથે આવી છે. બેઠકમાં વિરોધપક્ષોના ગઠબંધનનું નામ INDIA નક્કી કરવામાં આવ્યું
છે.
આ બેઠકમાં હાજરી આપનાર
રાષ્ટ્રીય જનતા દળે પણ ટ્વીટ કર્યું છે કે વિપક્ષી પાર્ટીઓનું ગઠબંધન ભારતનું
પ્રતિબિંબ છે. આરજેડીએ ભારતનું પૂર્ણ સ્વરૂપ કહ્યું - ભારત એટલે ઇન્ડિયન નેશનલ
ડેમોક્રેટિક ઇન્ક્લૂસિવ અલાયન્સ. RJDએ આ સાથે લખ્યું- હવે
વડાપ્રધાન મોદીને ભારત કહેવાથી પીડા થશે.
આજે 5 મહત્ત્વના મુદ્દા પર
નિર્ણય સંભવ છે
1. અધ્યક્ષ કોણ છે, કોંગ્રેસ ઈચ્છે છે કે
સોનિયા કમાન્ડ કરે
સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે કોંગ્રેસ ઈચ્છે છે કે
સોનિયા ગાંધી વિરોધપક્ષોના અધ્યક્ષ બને. કારણ એ છે કે સોનિયા સૌથી મોટા
વિરોધપક્ષનાં નેતા છે અને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ નથી. પટનામાં યોજાયેલી
બેઠકમાં કેટલાક લોકોએ નીતીશ કુમારને કન્વીનર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો
તમામ પક્ષો આ અંગે સહમત થશે તો કોંગ્રેસ પણ તેનો સ્વીકાર કરશે.
2. મુદ્દાઓ પર શું સ્ટેન્ડ
લેવું, વિવિધ જૂથો બનાવવામાં આવશે
2024ની ચૂંટણી માટે વિપક્ષી પાર્ટીઓની એકતા માટે કન્વીનર બનાવવામાં આવશે. કયા
મુદ્દા ઉઠાવવા અને શું સ્ટેન્ડ હશે એના માટે અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવશે અને તેઓ
નક્કી કરશે. કોમન મિનિમમ પ્રોગ્રામ અંગેનો નિર્ણય પણ આવો જ હશે.
3. ચૂંટણી કેવી રીતે લડાશે, મોદી VS નેતા કે બીજા કોઈ
સૂત્રોએ જણાવ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ સામાન્ય ચૂંટણીને મોદી વિરુદ્ધ
વિપક્ષી નેતા બનાવવાના પક્ષમાં નથી. તેમને લાગે છે કે આ ચૂંટણીને મોદી વિરુદ્ધ
જનતાનું સ્વરૂપ આપવું જોઈએ. આ માટે વર્તમાન મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું
જોઈએ.
4. ભાજપ અને મોદી વિરુદ્ધ
રણનીતિ
સૂત્રોના જણાવ્યા અનુસાર, કન્વીનર સિવાય 2-3 ગ્રુપ બનાવવાનો વિચાર
છે. આના દ્વારા મોદી સામે ઉઠાવવામાં આવતા મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવશે. આ જૂથ
નક્કી કરશે કે કયા મુદ્દાઓ પર સરકાર સામે વિરોધ કરવો. ભાજપ ધ્રુવીકરણ માટે એનો લાભ
ન લઈ શકે એ માટે કયા મુદ્દાઓ પર સ્ટેન્ડ ન લેવું એ પણ નક્કી કરવામાં આવશે.
5. 2024 માટે સીટ શેરિંગ
ફોર્મ્યુલા
એવો પણ પ્રસ્તાવ છે કે એક જૂથ બનાવવામાં આવે, જે રાજ્યોમાં સીટ
શેરિંગ ફોર્મ્યુલા નક્કી કરે. આટલા ઓછા સમયમાં 26 વિપક્ષી પાર્ટીઓના
નેતાઓ વચ્ચે બેઠક થઈ શકે નહીં. આવી સ્થિતિમાં એક જૂથ બનાવવું જોઈએ, જે બધા વચ્ચે સંકલન
કરે.