• Home
  • News
  • પુલવામા હુમલા બાદ પહેલી વખત પાકિસ્તાનની કોઇ ટીમ ભારત આવશે, એશિયન ચેમ્પિયનશિપ માટે વીઝા મળ્યા
post

ભારતીય કુશ્તી સંઘે જણાવ્યું કે સરકારે પાકિસ્તાની ટીમને વીઝા જાહેર કર્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-17 09:45:25

પાકિસ્તાની ટીમ દિલ્હીમાં થનારી એશિયન કુશ્તી ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. ભારતીય કુશ્તી સંઘના સહાયક સચિવ વિનોદ તોમરે તેની જાણકારી આપી હતી. તેમના પ્રમાણે, ભારત સરકારે પાકિસ્તાની ગ્રુપને આ પ્રતિયોગિતામાં સામેલ થવા માટે વીઝા જાહેર કર્યા છે. ગત વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા હુમલા બાદ પાકિસ્તાનની આ પહેલી ટીમ છે જે ભારત રમવા આવશે. કોરોના વાયરસથી પ્રભાવિત ચીનના પહેલવાનો અંગે સોમવારે નિર્ણય થશે. અહીંથી 40 લોકોનું ગ્રુપ ભારત આવવાનું છે પરંતુ અત્યાર સુધી તેમને વીઝા મળ્યા નથી. તેમના પ્રવાસને પણ મંજૂરી મળી નથી. ચેમ્પિયનશીપ 18થી 23 ફેબ્રુઆરી વચ્ચે દિલ્હીમાં યોજાશે.

સહાયક સચિવે જણાવ્યું કે આ મામલાને લઇને કુશ્તી સંઘના પદાધિકારીઓની શુક્રવારે ખેલ સચિવ રાધેશ્યામ જુલાનિયા સાથે મુલાકાત થઇ હતી. તેમણે તાત્કાલિક ગૃહ સચિવ સાથે વાત કરી. ત્યારબાદ પાકિસ્તાની ખેલાડીઓ અને કોચને વીઝા જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્યક્ષ નરિંદર બત્રાએ પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી. પાકિસ્તાની ગ્રુપમાં 4 પહેલવાન(ફ્રીસ્ટાઇલ વર્ગ), એક કોચ અને એક રેફરી સામેલ હશે. તેમાં મોહમ્મદ બિલાલ(57 કિલો), અબ્દુલ રહેમાન (74 કિલો), તૈયબ રજા (97 કિલો) અને જમાન અનવર (125 કિલો) સામેલ છે. યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગના નિયમો પ્રમાણે યજમાન દેશ માટે તે જરૂરી હોય છે કે પ્રતિયોગિતામાં સામેલ થનારા દેશોને વીઝા આપે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post